SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ જવાને વિચાર કેમ કરે છે? તારે મારી અવસ્થાને વિચાર કરી મારા ઉપર દયા રાખવી જોઈએ. આવી અવસ્થામાં તારે મારો ત્યાગ કરવો ઉચિત નથી. ” તેમના મનનું સમાધાન કરવા પ્ર કારે કહ્યું કે:-“માજી! તમે શોક ન કરે. પ્રભુએ જેમ ધાર્યું હશે તેમ થશે. હમણું હું નદીએ નાન કરવા જાઉં છું.” એમ કહી તેઓ મદીએ સ્નાન કરવા ગયા. સ્નાન કરવા માટે તેઓ નદીમાં ઊતરી ઊંડા પાણીમાં જઈ સ્નાન કરવા લાગ્યા ત્યારે તેમના ચરણકમલને મગરે પકડો હોય એમ જણાયું, તેથી તેમણે પોતાનાં માતુશ્રીને બોલાવવા રાડ પાડી. તે રાડ સાંભળી તેમનાં માતુશ્રી બહુ ત્વરાથી ત્યાં આવ્યાં. તેમને ત્યાં આવેલાં જોઈ શ્રી શંકરે કહ્યું – “કઈ મગરે મારા પગને પકડો છે, ને તે મને વધારે ઉંડા પાણીમાં ખેંચી જવા પ્રયત્ન કરે છે. હવે હું શું કરું ?” શ્રી શંકરનાં આવાં વચન સાંભળી તેમનાં માતુશ્રી દનપૂર્વક બહુ શેક કરવા લાગ્યાં. તેમની આવી સ્થિતિ જોઈ શીશ કરે તેમને કહ્યું –“હે અંબે. જે હું આ વેલા સંન્યાસ ગ્રહણ કરવાનો સંકલ્પ કરું તો મને લાગે છે કે તે પુણ્યવડે આ મગર મારે પગ મૂકી દઈ મને જીવતા રહેવા દેશે, માટે હે માજી ! હવે વિલંબ ન કરતાં તમે મને સંન્યાસ ગ્રહણ કરવાનો સંકલ્પ કરવાની અનુમતિ આપે.તેમનાં માતુશ્રીએ શ્રી શંકરનાં આવાં વચનો સાંભળીને વિચાર ર્યો કે જે સંન્યાસ લઈને પણ મારે પુત્ર જીવતે રહેશે તો મને મળશે, પણ જે મગર તેને મારી નાંખશે તો તે મને પુનઃ મળવાને નથી, માટે તેને સંન્યાસ લેવાની અનુમતિ આપવી. આ વિચાર કરીને તેમણે પિતાના પુત્રને સંન્યાસ લેવાની અનુમતિ આપી, તેથી શ્રીશંકરે સન્યાસ લેવાનો સંકલ્પ કર્યો. આમ થવાથી મગરે પોતાના પગને છેડી દીધો છે એવું શ્રીશંકરને ભાન થયું, અને પોતે નદીમાંથી બહાર પધાર્યા, અને પિતાનાં માતુશ્રીને કહ્યું કે –“હવે હું
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy