________________
શ્રીગતારાવલી સ્તોત્ર.
૧૧૭
www
સંસારરૂપ દાવાનળથી ભય પામેલા પરમાત્માના ભક્તજનોએ વખાણવાયોગ્ય, જન્મમરણદિરૂપ સંસારના મોટા ભયરૂપ અંધકારની નિવૃત્તિ કરવામાં ઊનાળાના બપોરના સૂર્યજેવા, અને પરમાત્માના સ્વરૂપનું નિરૂપણ કરનાર અથવા ભગવત્પાદ–ગોવિંદપાદ–ને શિષ્ય શંકરે રચેલા આ હરિમી નામના સ્તોત્રનો જે શ્રદ્ધાલુ મનુષ્ય આ પ્રમાણે અર્થના જ્ઞાનપૂર્વક ઉંચેથી પાઠ કરે છે, અથવા આદરપૂર્વક અર્થના જ્ઞાન સહિત સાંભળે છે, તે શ્રદ્ધાળુ મનુષ્ય સત્યલોકને-કમમેક્ષને–પામે છે, અથવા ઉત્તાધિકારી હેય તે જ્ઞાતા, જ્ઞાન ને ય એ ત્રિપુટીને પિતાના આત્મામાં અભેદ કરી અહિજ કૃતાર્થ થાય છે. ૪૪.
એ પ્રમાણે બ્રહ્મવિદ્યાવાળા પરમહંસ ને પરિવ્રાજકેના આચાર્ય શ્રી શંકરાચાર્યજીએ રચેલા હરિમીટેનામના તેત્રરૂપ છઠ્ઠા રત્નની ભાવાર્થદીપિકાનામની ગુજરાતી ભાષાની ટીકા પૂરી થઈ. દ.
છે શ્રી તારવટીસ્તોત્ર છે.
ભાવાર્થદીપિકાટીકા સહિત.
મંગલાચરણ ને ટીકાની પ્રતિજ્ઞા
, દોહરે. બ્રહ્માઈશનું ધ્યાન ધરી, વંદી સદગુરુ-પાય; એગતારાવલી-ટીકા, ગુર્જરગિરા લખાય. ૧