________________
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ના
જ્યાંસુધી તે બ્રહ્મ હું છું એમ આ શરીરમાં જે સ જડને પ્રકાશનાર છે તેને મનુષ્યને સંશયવિષયરહિત સ્પષ્ટ સાક્ષ'ત્કાર થયે નથી, ત્યાંસુધી જાગ્રતમાં જે આ સર્વ જગત્ પ્રતીત થાય છે તે વસ્તુતાએ સત્ય ન છતાં સત્યના જેવું પ્રતીત થાય છે, અને જે બ્રહ્મના શ્રીસદ્ગુરુના ઉપદેશવડે તથા અંતર્મુખત્તિવડે સ્પષ્ટ અનુભવ થવાથી આ સર્વે પ્રપંચ સસલાના શિંગડાજૅવેા અસત્યરૂપ પ્રતીત થાય છે, તે સંસારરૂષ અંધકારની અત્યંતનિવૃત્તિ કરનાર બ્રહ્મના હું અભેદભાવે સાક્ષાત્કાર કરું છું. ૪૦,
૧૧૪
रागामुक्तं लोहयुतं हेम यथाग्नौ योगाष्टांगैरुज्ज्वलितज्ञानमयाग्नौ ।
दग्ध्वाऽऽत्मानं शं परिशिष्टं च विदुर्ये, तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥ ४१ ॥ જેવી રીતે લેાઢાવાળું સેાનું અગ્નિમાં નાંખવાથી શુદ્ધ થાય છે, તેવી રીતે રાગથી મોકળું નહિ થયેલું મન ચાગનાં આઠ અંગેાવડે ઉદ્ભવલ કરેલા જ્ઞાનમય અગ્નિમાં આળીને જ્ઞાની બાકી રહેલા જ્ઞાનરૂપ જે આત્માને જાણે છે, તે સંસારાંધકારને વિનાશ કરનાર હુરિરૂપ આત્માની હું સ્તુતિ કરું છું.
જેવી રીતે લેહ આદિ હલકી ધાતુથી યુક્ત સૈાનું અગ્નિમાં નાંખી તેમાંથી અન્ય હલકી ધાતુને આળી નાંખીને શુદ્ધ સેનાને બાકી રાખવામાં આવે છે, તેવી રીતે રાગાદિ દાબેથી મેાકળા નહિ થયેલા મલિન મનને યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન ને સમાધિ આ યુગનાં આઠે અંગેાવડે ઉજ્જવલ કરેલા જ્ઞાનમય અગ્નિમાં બાળવામાં આવે છે. પછી બાકી રહેલા જે જ્ઞાનરૂપ