________________
૧૧૦
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો.
હું પ્રાણ છું ? અથવા વાણી છું ? અથવા શ્રવણાદિ છું ? અથવા મન છું ? અથવા બુદ્ધિ છું? અથવા હું તેમાંથી કઈ એક છું ? અથવા સમસ્તરૂપ છું? એ પ્રમાણે વિચારીને હું આમાં જ્ઞાનસ્વરૂપજ છું, એમ જેને જાણે છે, તે સંસારાં ધકારનો વિનાશ કરનાર બ્રહ્મની હું સ્તુતિ કરું છું.
હું ભૂખ્યો છું, હું તો છું, એવા અનુભવ ઉપરથી શું હું પ્રાણ છું? અથવા હું બોલું છું એવા અનુભવ પરથી શું હું વાણી છું ? અથવા હું સાંભળું છું એવા અનુભવ પરથી શું હું કાન છું ? અથવા હું સુંઘું છું દયાદિ અનુભવપરથી શું હું નાસિકાદિ છું ? અથવા હું સંકપવિકલ્પ કરું છું એવા અનુભવ પરથી શું હું મન છે ? અથવા હું નકકી કરું છું એવા અનુભવ પરથી શું હું બુદ્ધિ છે ? અથવા તે ઇન્ટિ તથા અંતઃકરણમાંથી હું કઈ એક છું ? અથવા તે સર્વરૂપ હું છું ? એ પ્રમાણે વિચાર કરીને આ સર્વ જડસમૂહમાં હું તે સવેનો જ્ઞાતા જ્ઞાનસ્વરૂપજ છું એમ જેને જાણે છે, તે સંસારરૂપ અંધકારનો વિનાશ કરનાર જ્ઞાનસ્વરૂપ આત્માનો હું અભેદભાવે સાક્ષાત્કાર કરું છું. ૩૫.
नाहं प्राणो नैव शरीरं न मनोऽहं, नाहं बुद्धिर्नाहमहङ्कारधियौ च ।
ત્ર રા: ડરથતિ વિજે, तं संसारध्वान्तीवनाशं हरिमीडे ॥ ३६॥
હું પ્રાણ નથી, શરીર નથી, હું મન નથી, હું ચિત્ત નથી, હું અહંકાર ને બુદ્ધિ નથી, જે અહિ જ્ઞાનના અંશરૂપ છે, તે હુંજ છું, એમ જેને જાણે છે, તે સંસારબંધકારને વિનાશ કૅરનાર હરિની હું સ્તુતિ કરું છું.
હું પ્રાણ, લશરીર, મન, ચિત્ત, અહંકાર ને બુદ્ધિ નથી; કેમ