________________
૧ ૦૯
શ્રીહરિમડેસ્તોત્ર. को ह्येवान्यादात्मनि न स्यादयमेष, ह्येवानंदः प्राणिति चापानिति चेति । इत्यस्तित्वं वक्त्युपपत्त्या श्रुतिरेषा, तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥ ३४॥
જે આ આનંદરૂપ આત્મા શરીરમાં ન હોત તે કોણ પ્રાણુની ચેષ્ટા કરત ? આ આનંદરૂપ આત્માજ પ્રાણની ક્રિયા કરે છે, અને અપાનની પણ ક્રિયા કરે છે, આ પ્રમાણે આ શ્રુતિ, યુક્તિ અને દષ્ટાંતવડે આનંદરૂ૫ આત્માનું અસ્તિત્વ કહે છે, તે સંસારરૂપ અંધકારને વિનાશ કરનાર હરિની ( આત્માની) હું સ્તુતિ કરું છું.
જે આ શરીરમાં આ ચૈતન્યરૂપ, અસંગરૂપ, વ્યાપકરૂપ અને આનંદરૂપ આત્મા નહિ હોત તે આ શરીરમાં પ્રાણ પોતાની ક્રિયા ક્યાંથી કરત? આ આનંદરૂપ આત્માજ પ્રાણપાસે પ્રાણની ક્રિયા કરાવે છે, અને અપાન પાસે અપાનની ક્રિયા કરાવે છે. જડદેહને જીવાડનારા પ્રાણ તથા અપાન તેના જીવનરૂપ આમાથી જીવે છે. “જો હેવાયા : પ્રાર્થાત થઇ મારા મન ન થાત્ ?? ( જે આ આકાશના જેવો અને આનંદરૂપ આત્મા ન હોત તે કોણ પ્રાણની ક્રિયા કરત ? અને કોણ જીવન ધારણ કરત ?) આ શ્રુતિ યુક્તિ, અને દૃષ્ટાંતવડે શરીરમાં આત્માનું અસ્તિત્વ કહે છે, તે સંસારરૂપ અંધકારની અત્યંતનિવૃત્તિ કરનાર બ્રહ્મથી અભિન્ન આત્માને હું અભેદભાવે સાક્ષાત્કાર કરું છું. ૩૪.
प्राणो वाहं वाक्शवणादीनि मनो वा, बुद्धिर्वाहं व्यस्त उताहोऽपि समस्तः। इत्यालोच्य शप्तिरिहास्मात विदुर्य, तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥ ३५॥