________________
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રનો.
અવિદ્યાના અંશરૂપ ઉપાધિવડે કલ્પાયેલો અંશ અવિદ્યામાં પ્રતિબિંબ વાળે થઈ અહિં બુદ્ધિને તથા જાણવાયેગ્ય બહારના ઘટાદિ પદાથાને પ્રકાશે છે. જે સર્વની અંતર રહેલા ને સર્વને પ્રકાશનારને બુદ્ધિ પ્રકાશી શકતી નથી. વિજ્ઞાતા જેન વિજ્ઞાન ( અરે મૈયિ ! વિજ્ઞાતાને કયા કરવડે જાણે ?) એ શ્રુતિ પણ એમજ કહે છે. તે સંસારરૂપ અંધકારની અત્યંતનિવૃત્તિ કરનાર અંતરાત્માથી અભિન્ન બ્રહ્મનો હું અભેદભાવે સાક્ષાત્કાર કરું છું. ૩૨.
कोऽयं देहे देव इतीत्थं सुविचार्य, शाता श्रोताऽऽनंदयिता चैष हि देवः। इत्यालोच्य ज्ञांश इहास्मीति विदुर्यम् , . तं संसारध्वान्ताविनाशं हरिमीडे ॥ ३३॥
શરીરમાં આ કેણ દેવ છે ? એ પ્રમાણે અહિ સારી રીતે વિચારીને જાણનાર, સાંભળનાર ને આનંદ આપનાર આજ દેવ છે, આ પ્રમાણે વિચાર કરીને અહિં જ્ઞાનના અંશરૂપ હું છું, એમ જેને જાણે છે, તે સંસારબંધકારના વિનાશક પ્રભુની હું સ્તુતિ કરું છું.
આ શરીરમાં સર્વને પ્રકાશનાર કોણ છે ? શું ઇદ્રિ પ્રકારનાર છે? વા પ્રાણ પ્રકાશનાર છે ? વા અંતઃકરણ પ્રકાશનાર છે ? એમ સર્વને પ્રકાશનાર તત્વનો સારી રીતે વિચાર કરીને શરીર, ઇકિયા, પ્રાણ તથા અંતઃકરણને વેદ્ય તથા જડ જાણીને પિતાને તેને જાણ નાર તથા ચેતનરૂપ જાણે છે, શ્રેત્રના શ્રેતારૂપ જાણે છે, અને સર્વને આનંદ આપનાર જાણે છે. આજ સ્વયંપ્રકાશતત્ત્વ છે. આ પ્રમાણે વિચાર કરીને આ શરીરાદિમાં જ્ઞાનસ્વભાવવાળે હું છું, એમ જે આત્માને વિદ્વાન્ જાણે છે તે સંસારરૂપ અંધકારની અત્યંતનિવૃત્તિ કરનાર અંતરાતમાથી અભિન બ્રહ્મનો હું અભેદભાવે સાક્ષાત્કાર કરું છું. ૩૩.