SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૦૬ શ્રી શંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. ભિન્ન ભિન્ન નામવાળાં ને આકારવાળાં અનેક શરીરમાં સચ્ચિદાનંદરૂપે રહેલા જે આ આત્માને બુદ્ધિવડે એકરૂપ નક્કી કરીને અને તેજ પ્રમાણે અનુભવ કરીને આત્મવેત્તાઓ શીધ્ર આ મનુ શરીરમાં જ તે આત્માથી અભિન્ન બ્રહ્મરૂપ થાય છે. જે અંતરાત્માથી અભિન્ન બ્રહ્મમાં અભેદભાવે સ્થિર થયેલા આ જગતમાં પુનર્જન્મ પામતા નથી, તે સંસારરૂપ અંધકારની અત્યંતનિવૃત્તિ કરનાર પ્રત્યગભિન્ન બ્રહ્મનો હું અભેદભાવે સાક્ષાત્કાર કરું છું. ૨૯. द्वन्द्वैकत्वं यच्च मधुब्राह्मणवाक्यैः, कृत्वा शक्रोपासनमासाद्य विभूत्या । योऽसौ सोऽहं सोऽस्म्यहमेवेति विदुर्यम् , तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥ ३० ॥ મધુબ્રાહ્મણનાં વાવડે જે કંદનું એકપણું કરીને, અને એશ્વર્યવડે ઇદ્રની પૂજાને પ્રાપ્ત કરીને, જે આ તે હું તે હુંજ છું એમ જેને જાણે છે તે સંસારાંધકારને વિનાશ કરનાર પરમાત્માની હું સ્તુતિ કરું છું. “આ પૃથિવી સર્વે પ્રાણીઓનું મધ છે,” “ આ જળ સર્વ પ્રાણીઓનું મધ છે,” “આ અગ્નિ સર્વે પ્રાણીઓનું મધ છે,” ઇત્યાદિ મધુબ્રાહ્મણનાં વાવડે જે અધ્યાત્મ ને અધિદૈવ ઉપાધિસહિત હિંદનું બ્રહ્મરૂપ એકપણું કરીને અને સમભાવરૂપ એશ્વર્યની પ્રાપ્તિ વડે ઇદ્રની પૂજાને પ્રાપ્ત કરીને જે આ સર્વના અધિકાનરૂપ બ્રહ્ના છે તે હું છે, તે હુંજ છું, એમ જે પ્રગભિન્ન બ્રહ્મને જાણે છે, તે સંસારરૂપ બ્રહ્માવરક અંધકાર–અજ્ઞાન–ની અત્યંતનિવૃત્તિ કરનાર પ્રત્યગભિન્ન બ્રહ્મનો હું અભેદભાવે સાક્ષાત્કાર કરું છું. ૩૦.
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy