________________
શ્રીહરિમડેસ્તોત્ર.
૧૦૩
તે બ્રહ્મમાંથીજ આ સર્વ જગતને વિવર્તરૂપે પ્રાદુર્ભાવ થાય છે, તેની સત્તાવડેજ આ જગત સત્તાવાળું પ્રતીત થાય છે, ને અંતે તેમાંજ તે લીન થાય છે, માટે સમુદ્રથી જેમ તેમાં પ્રતીત થતા તરંગો ભિન્ન નથી, તેમ બ્રહ્મથી તેમાં પ્રતીત થતું જગત ભિન્ન નથી. તે સંસારાંધકારની નિવૃત્તિ કરનાર બ્રહ્મનો હું અભેદભાવે સાક્ષાત્કાર કરું છું. ૨૫
दृष्टा गीतास्वक्षरतत्वं विधिनाजम् , भक्त्या गुळ लभ्य हृदिस्थं दृशिमात्रम्। ध्यात्वा तस्मिन्नस्म्यहमित्यत्र विदुर्य, तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥२६॥
ગીતામાં જણાવેલા અજન્મા ને અવિનાશી તત્ત્વને વિધિવડે જાણીને, તથા ઉત્તમ ભક્તિવડે હૃદયમાં રહેલા નિરુપાધિક દ્રષ્ટાને પામીને, અને તેમાં હું છું એમ ધ્યાન કરીને મુનિઓ જેને જાણે છે, તે સંસારાંધકારને વિનાશ કરનાર પરમાત્માની હું સ્તુતિ કરું છું. “અનાવિકપ ત્રહ્મ I –પરબ્રહમ કાર્યથી રહિત-અજન્મા–છે,
ક્ષત્તિ છે ”જેઓ અવિનાશી ને વાણીવડે ન કહેવાય એવા –ઈત્યાદિ શ્રીમદભગવદગીતાના શ્લોકમાં જણાવેલા અજન્મા ને અવિનાશી બ્રહ્મસ્વરૂપને “તાક્રાદ્ધિ પ્રાપન પ્રિન સેવા– તે બ્રહ્મને તું સાષ્ટાંગ દંડવત પ્રણામવડે, ઉપયોગી પ્રવડે, ને સેવાવડે જાણ–આ વચનોમાં કહેલા વિધિવડે શ્રીસ પાસેથી શ્રવણવડે જાણીને, તથા એકાંતમાં બેસી બહુ આદરપૂર્વક પોતાના હૃદયમાં રહેલા નિરપાધિક દ્રષ્ટાનો મનનવડે નિશ્ચય કરીને, અને તે તત્ત્વમાં તે હું છું એમ અખંડ ધ્યાન-નિદિધ્યાસન કરીને યોગીઓ જે બ્રહ્મને અભેદભાગ્યે જાણે છે, તે સંસારરૂપ અંધકારની અત્યંતનિવૃત્તિ કરનાર બ્રહ્મતત્વનો હું અભેદભાવે સાક્ષાત્કાર કરું છું. ૨૬.