________________
(૪
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રને. આ સર્વ જગત્ યુક્તિવડે પિતાના આત્મામાં જઈને તથા એવી રીતે અજન્મા આત્માને સર્વ પ્રાણુઓમાં જોઈને હું સર્વને આત્મા એક છું એમ પ્રાણીઓના હૃદયમાં રહેલ જેને વિદ્વાને જાણે છે તે સંસારબંધકારને વિનાશ કરનાર બ્રહ્મને હું સ્તવું છું.
સ્વમાવસ્થામાં પ્રતીત થતું સર્વ જગત જેમ પિતાના આત્મામાંજ કલ્પિત છે તેમ જાગ્રતમાં પ્રતીત થતું આ સર્વ નામરૂપાત્મક જગત પણ પિતાના આત્મામાંજ કપિત છે. આ સર્વ સ્થૂલસૂક્ષ્મ પ્રપંચ જ્ઞાતાના સદ્દભાવવિના યની સિદ્ધિનો અભાવ હોય છે એ યુક્તિવડે સર્વના અધિષ્ઠાનરૂપ પિતાના આત્મામાં જોઈને, તથા વિવતેંપાદાનકારણ પિતાના વિવર્તકાર્યમાં વ્યાપેલું હોય છે એ યુક્તિવડે જન્મરહિત પિતાના આત્માને સર્વ પ્રાણીઓમાં વ્યાપક જોઈને હું સર્વ પ્રાણિપદાર્થોનો આત્મા એક છું, એમ સર્વ પ્રાણીઓના હૃદયમાં રહેલા આત્માથી અભિન્ન જે બ્રહ્મને વિદ્વાને જાણે છે તે સંસારરૂપ અંધકારની અત્યંત નિવૃત્તિ કરનાર પરમપ્રકાશરૂપ આત્માથી અભિન્ન બ્રહ્મનો હું અભેદભાવે સાક્ષાત્કાર કરું છું. ૧૩.
सर्वत्रकः पश्यति जिघ्रत्यथ भुक्ते, स्पृष्टा श्रोता बुद्धयति चेत्याहुरिमं यम् । साक्षी चास्ते कृतेषु पश्यन्निति चान्ये, तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥ १४ ॥
સર્વત્ર એક જુએ છે, સુંઘે છે, અને ખાય છે, સ્પર્શ કરનાર ને સાંભળનાર છે, તથા જાણે છે, એમ જે આને કહે છે, જે સાક્ષિરૂપે છે, અને બીજાઓ કર્તાઓમાં જેને જુએ છે, તે સંસારાંધકારનો વિનાશ કરનાર બ્રહ્મની હું