________________
શ્રીહરિમડેસ્તોત્ર. નક્કી કરીને, બ્રહ્મનું ધ્યાન કરવામાં જાગૃતિ સેવનારા મહાપુરુષો પતાના સ્કૂલ તથા સૂક્ષ્મ શરીરનો પરિત્યાગ કરીને જે બ્રહ્મમાં અભેદભાવે સ્થિતિ કરે છે, તે સંસારરૂપ અંધકારને વિનાશ કરનાર બ્રહ્મનો હું અભેદભાવે સાક્ષાત્કાર કરું છું. ૧૧.
सर्वत्रास्ते सर्वशरीरी न च सर्वः, सर्व वेत्त्येवेह न यं वेत्ति हि सर्वः । सर्वत्रान्तर्यामितयेत्थं यमयन्य,-. स्तं संसारध्वान्तविनाशं हरिमीडे॥ १२ ॥
જે સર્વમાં શરીરી છે, પણ જે સર્વરૂપ (શરીરરૂપ) નથી, જે સર્વને જાણે છેજ, અહિં જેને સર્વ શરીર જાણતાં નથી, ને જે સર્વત્ર અંતર્યામી પાવડે આવી રીતે નિયમમાં રાખતા છતા સર્વત્ર રહે છે, તે સંસારાંધકારને વિનાશ કરનાર બ્રહ્મની હું સ્તુતિ કરું છું.
જે પૃથિવી આદિ સર્વ શરીરમાં તેના શરીરી એટલે શરીરમાં રહી તેને નિયમમાં રાખનાર છે, પણ જે પૃથિવી આદિ રૂપ નથી, જે પૃથિવી આદિ સર્વને સંશયરહિત જાણે છે, પૃથિવી આદિ બધાં શરીરે જડ હેવાથી જેને જાણી શકતાં નથી, ને જે સર્વ શરીરમાં અંતર્યામીપણુવડે રહી આવી રીતે તે સર્વ શરીરને નિયમમાં રાખતા છતા સર્વ શરીરમાં રહે છે, તે સંસારરૂપ ભયપૂર્ણ અંધકારની વિશેષ નિવૃત્તિ કરનાર પરમાત્માને હું અભેદભાવે સાક્ષાત્કાર કરું છું. ૧૨.
सर्व दृष्ट्वा स्वात्मनि युक्त्या जगदेतत् , दृष्ट्राऽऽत्मानं चैवमजं सर्वजनेषु । सर्वात्मैकोऽस्मीति विदुर्य जनहत्थम् , तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥ १३ ॥