SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ *.* - - - - - - - - શ્રીહરિમડેસ્તોત્ર શકાય એવું, અંતરાત્માના જ્ઞાનસ્વભાવથી પિતાના જ્ઞાનસ્વભાવને જણાવનાર, ઘટાદિ સર્વ જડ ય પદાર્થથી ભિન્ન, જ્ઞાનસ્વરૂપ, હૃદયાકાશમાં આવરણની નિવૃત્તિ દ્વારા પ્રતીત થવાને યોગ્ય, સદરૂપે ગ્રહણ કરવાને યોગ્ય, દુઃખથી ભિન્ન પરમાનંદસ્વરૂપ, અને અન્યના સદ્દભાવવિનાના જે પરમતત્વને જ્ઞાનીઓ જાણે છે, તે નામરપાત્મક સંસારને બાધ કરનાર પરમતત્વને હું અભેદભાવે સાક્ષાત્કાર કરું છું. ૮. વળી પણ બ્રહ્મસ્વરૂપનું નિરૂપણ કરે છે यद्यवेधं वस्तु सतत्त्वं विषयाख्यं, तत्तद्ब्रह्मैवेति विदित्वा तदहं च । ध्यायन्त्येवं यं सनकाद्या मुनयोऽजम्, तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥९॥ કારણસહિત વિષયનામની જે જે જાણવાયેગ્ય વસ્તુ છે તે તે બ્રહ્મજ છે, એમ જાણીને અને તે હું છું, એમ જે અજન્માનું સનકાદિ મુનિએ ધ્યાન કરે છે, તે સંસારધકારને વિનાશ કરનાર બ્રહ્મનું સ્તવન કરું છું. કારણ અને અધિકારણસહિત શબ્દાદિ વિષયનામની જે જે દિ તથા અંતઃકરણના વિષયરૂપ વસ્તુઓ છે તે તે સર્વ વસ્તુઓ નામરૂપને બાધ કરતાં બ્રહ્મરૂપજ છે, એમ જાણીને અને તે સવધિષ્ઠાન બ્રહ્મ હું છું, એમ જે જન્મરહિત બ્રહ્મનું સનકાદિ બ્રહ્મનિષ્ઠ મુનિએ ધ્યાન કરે છે, તે આ પ્રતીત થતા સંસારરૂપ અંધકારને બાધ કરનાર બ્રહ્મને હું અભેદભાવે સાક્ષાત્કાર કરું છું. ૯, यद्यद्वेधं तत्तदहं नेति विहाय, स्वात्मज्योतिर्मानमयानन्दमवाप्य।.....
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy