________________
શ્રીહરિનીસ્તત્ર.
८७
સર્વજ્ઞપણું આદિ અનેક શુભચાવાળા છે. જે ત્રણ ગુણારૂપ માયા તે તેના કાર્યરૂપ સર્વ પ્રપંચના આશ્રયરૂપ છે. જે નામરૂપવર્ડ પ્રકટ નથી, જે એક પ્રાણિપદાર્થરૂપ ને સર્વ પ્રાણિપદાર્થરૂપ છે, જે કારણરૂપ તે કાર્યરૂપ છે. તે સંસારરૂપ અંધકારના નાશ કરનાર પરમાત્માના હું અભેદભાવે સાક્ષાત્કાર કરું છું. જેમ ચેતનરૂપ શરીરમાંથી નખ તે વાળરૂપ જડ પદાર્થો ઉપજે છે તેમ ચેતનરૂપ બ્રહ્મમાં આ જડ જગત્ કપાય છે. જડ પ્રધાન ચેતનને આશરે રહીને ભલે આ જગતનું કારણ હાય, પણ સ્વતંત્ર રીતે તે આ જગત્ નું કારણ નથી. ૩. આ જગત્ પરમાણુઓના કાર્યરૂપ વા જડ પ્રધાનના કાર્યરૂપ નથી, પણ આ બ્રહ્મમાં કપાયેલું છે એમ કહે છેઃयस्मादन्यन्नास्त्यपि नैव परमार्थ, दृश्यादन्यो निर्विषयज्ञानमयत्वात् । જ્ઞાતૃજ્ઞાનશેવિીનોપિ લયા જ્ઞ,स्तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥ ४ ॥ જેનાથી ભિન્ન વાસ્તવિક કાંઇ પણ નથીજ, નિવિષયજ્ઞાનમયપણાથી જે દૃશ્યથી ભિન્ન છે, અને જ્ઞાતા, જ્ઞાન ને જ્ઞેયથી રહિત છતાં પણ જે સર્વદા જ્ઞાનસ્વરૂપ છે, તે સ સારરૂપ અંધકારને વિનાશ કરનાર પરમાત્માને હું સ્તવું છું: “જમાદ્વિતીય ॥ ”-એકજ અદ્વિતીય બ્રહ્મ છે, ત્યાદિ શ્રુતિમાં પરમાત્માથી ભિન્ન પરમાણુઓને તથા પ્રધાનને મિથ્યા કહેલાં હાવાથી જે પરમાત્માથી ભિન્ન અન્ય કાંઇ પણ પારમાર્થિક સત્ય નથીજ. નામરૂપવાળા પ્રાણિપદાર્થા, પરમાણુ તે પ્રધાન સમુદ્રમાં જેમ તરંગાદિકલ્પિત છે તેમ બ્રહ્મમાં કલ્પિત છે. શબ્દાદિ વિષયાના જ્ઞાનથી રહિતપણાને લીધે તે બ્રહ્મ આ સર્વ દૃશ્યથી ભિન્ન
66.