SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રને. છે એમ જણાવ્યું છે. પુનઃ જે પરમાત્માવડે સ્થાવરજંગમ એવું સર્વ જગતનિયમમાં વર્તે છે, અર્થાત્ સૂર્ય, ચંદ્ર, પૃથિવી, સમુદ્ર ને દેવમનુષ્યાદિ સર્વ પ્રાણીઓના જે નિયામક છે. વળી જે આ સર્વ જગતમાં વ્યાપીને રહ્યા છે. પુનઃ પ્રાણીઓનાં પૂર્વનાં કર્મો પ્રમાણે જે પરમાત્મા પ્રાણીઓને તેના ફળરૂપ સુખદુઃખાદિની સાથે જોડે છે. સંસારરૂપ અંધકારની નિવૃત્તિ કરનારા તે પરમાત્માને હું અભેદભાવે સાક્ષાત્કાર કરું છું. ૨, આ જગત ત્રણ ગુણવાળું તથા જડ હેવાથી તેનું કારણ ત્રણ ગુણવાળી તથા જડ પ્રકૃતિ છે, પણ ચેતનરૂપ પરમાત્મા નથી એમ શંકા થાય છે તેનું સમાધાન નીચેના લેકવડે કરે છે – सर्वज्ञो यो यश्च हि सर्वः सकलो यो, यश्चानन्दोऽनन्तगुणो यो गुणधामा । 'यश्चाव्यक्तो व्यस्तसमस्तः सदसद्य-, स्तं संसारध्वान्तविनाशं हरिमोडे ॥ ३ ॥ જે સર્વજ્ઞ, જે સર્વ, જે સકલ, જે આનંદ, જે અનંતનુણ, જે ગુણધામ, જે અવ્યક્ત, જે વિભાગરૂપ ને સમસ્તરૂપ, કારણરૂપ ને કાર્યરૂપ છે, તે સંસારાંધકારને વિનાશ કરનાર પરમાત્માનું હું સ્તવન કરું છું. : સર્વશઃ »–જે સર્વજ્ઞ છે-ઇત્યાદિ શ્રુતિઓમાં પરમાત્માને સર્વને જાણનાર કહ્યા છે. “સર્વ રિવર્ડ બ્રહ્મ –નિશ્ચય આ સર્વ બ્રહ્મ છે-ઇત્યાદિ શ્રુતિઓમાં બ્રહ્મ સર્વરૂપ છે એમ જણાવ્યું છે. પ્રાણાદિ સર્વ કલાઓ પરમાત્માને જ આધારે રહેલી હોવાથી પરમાત્મા સકળ છે. “ જાન ત્રણ —આનંદ બ્રહ્મ છે-ઇત્યાદિ શ્રુતિઓમાં બ્રહ્મને આનંદરૂપ કહેલ છે. પરમાત્મા શુદ્ધસત્વગુણના
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy