________________
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો.
| શ્રીરની સ્તોત્ર | ભાવાર્થદીપિકાટીકાસહિત.
મંગલાચરણ ને ટીકાની પ્રતિજ્ઞા.
દેહરે. બ્રહ્માઈશનું ધ્યાન ધરી, વંદી સદગુરુ–પાય, હમિીડેની આ ટીકા, ગુર્જરગિરા લખાય. ૧
પ્રતીત થતા આ સંસારની નિવૃત્તિ વિદ્યાનું તથા તેનાં કાર્ય શોકમેહાદિનું હરણ કરનારા પરમાત્માના જ્ઞાનથી થાય છે, અને પરમામાનું જ્ઞાન તેમનું અભેદભાવે ધ્યાન કરવાથી થાય છે. એ ધ્યાનમાં પરમાત્માનું સ્મરણ તથા સ્તુતિ ઉપકારક થાય છે, માટે પરમાત્માની સ્તુતિરૂપ આ હરિમડેસ્તોત્ર મુમુક્ષુઓના હિતાર્થે આચાર્યભગવાને રચ્યું છે. તેના નીચે લખેલા પહેલા લેકમાં પરમાત્માનું સ્વરૂપ તથા તેમના જ્ઞાનથી સંસારની નિવૃત્તિ થવાનું જણાવ્યું છે
स्तोम्ये भत्तया विष्णुमनादि जगदार्दि, यस्मिन्नेतत्संमृतिचक्रं भ्रमतीत्थम् । यस्मिन्दष्टे नश्यति तत्संसृतिचक्र, तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥१॥
જગના કારણરૂપ અનાદિ પરમાત્માની હું ભક્તિ વડે સ્તુતિ કરું છું. જેમાં આ સંસારચક આવી રીતે ભમે છે. જેને સાક્ષાત્કાર થવાથી તે સંસારચક્ર નાશ પામે છે. સંસારરૂપ અંધકારને વિનાશ કરનાર તે હરિની હું સ્તુતિ કરું છું.