SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. | શ્રીરની સ્તોત્ર | ભાવાર્થદીપિકાટીકાસહિત. મંગલાચરણ ને ટીકાની પ્રતિજ્ઞા. દેહરે. બ્રહ્માઈશનું ધ્યાન ધરી, વંદી સદગુરુ–પાય, હમિીડેની આ ટીકા, ગુર્જરગિરા લખાય. ૧ પ્રતીત થતા આ સંસારની નિવૃત્તિ વિદ્યાનું તથા તેનાં કાર્ય શોકમેહાદિનું હરણ કરનારા પરમાત્માના જ્ઞાનથી થાય છે, અને પરમામાનું જ્ઞાન તેમનું અભેદભાવે ધ્યાન કરવાથી થાય છે. એ ધ્યાનમાં પરમાત્માનું સ્મરણ તથા સ્તુતિ ઉપકારક થાય છે, માટે પરમાત્માની સ્તુતિરૂપ આ હરિમડેસ્તોત્ર મુમુક્ષુઓના હિતાર્થે આચાર્યભગવાને રચ્યું છે. તેના નીચે લખેલા પહેલા લેકમાં પરમાત્માનું સ્વરૂપ તથા તેમના જ્ઞાનથી સંસારની નિવૃત્તિ થવાનું જણાવ્યું છે स्तोम्ये भत्तया विष्णुमनादि जगदार्दि, यस्मिन्नेतत्संमृतिचक्रं भ्रमतीत्थम् । यस्मिन्दष्टे नश्यति तत्संसृतिचक्र, तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥१॥ જગના કારણરૂપ અનાદિ પરમાત્માની હું ભક્તિ વડે સ્તુતિ કરું છું. જેમાં આ સંસારચક આવી રીતે ભમે છે. જેને સાક્ષાત્કાર થવાથી તે સંસારચક્ર નાશ પામે છે. સંસારરૂપ અંધકારને વિનાશ કરનાર તે હરિની હું સ્તુતિ કરું છું.
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy