SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીવાક્યસુધા. વાની ઇચ્છા થાય તે તેના સમાધાનમાં કહે છે ! प्रतीतिकाल एवैते स्थितत्वात्प्रातिभासिके ।. . . नहि स्वप्न प्रबुद्धस्य पुनः स्वप्ने स्थितिस्तयोः ॥ ३८॥ એ બંને પ્રતીતિકાલમાંજ સ્થિત હોવાથી પ્રતિભાસિક છે. સ્વપ્નમાંથી જાગેલાની પુનઃ સ્વપ્નમાં સ્થિતિ નથી, તેથી તે બંને નથી. એ જીવ તથા જગત પ્રતીતિના સમયમાંજ સ્થિત હોવાથી તે બને પ્રતિભાસિક એટલે પ્રતીતિના સમયમાં જ પ્રતીત થનાર કહેવાય છે. સ્વમમાંથી જાગેલા પુરુષની પુનઃ સ્વમમાં સ્થિતિ થતી નથી, તેથી સ્વમને જગત ને જીવ એ બંને જાગેલાને પ્રતીત થતાં નથી. ૩૮. પ્રતિભાસિક જીવના સ્વરૂપને કહી તેનાથી ભિન્ન વ્યાવહારિક જીવને કહે છે– प्रातिभासिकजीवस्तु जगत्तत्प्रातिमासिकम् । .... वास्तवं मन्यते यस्तु मिथ्येति व्यवहारकः ॥ ३९ ॥ પ્રતિભાસિક જીવ તે તે પ્રતિભાસિક જગને વાસ્તવિક માને છે. જે તેને મિથ્યા એમ માને છે તે વ્યાવહારિક જીવ છે. સ્વમાવસ્થાવાળો પ્રતિભાસિક જીવ તે છીપમાં કલ્પાયેલા રૂપાના જેવા કલ્પિત–માત્ર પ્રતીત થનારા-સ્વમ જગતને સત્ય માને છે. જે એ સ્વમના જગતને મિથા જાણે છે તે વ્યાવહારિક જીવ કહેવાય છે. ૩૯ એવી રીતે પ્રતિભાસિક જીવથી વ્યાવહારિક જીવને ભેદ કહીને હવે વ્યાવહારિક જીવથી પાસ્માર્થિક જીવને ભેદ કહે છે— व्यावहारिकजीवस्तु जगत्तद्वयावहारिकम् । सस्यं प्रत्येति मिथ्येति मन्यते पारमार्थिकः ॥४०॥
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy