________________
શ્રીવાક્યસુધા. વાની ઇચ્છા થાય તે તેના સમાધાનમાં કહે છે !
प्रतीतिकाल एवैते स्थितत्वात्प्रातिभासिके ।. . . नहि स्वप्न प्रबुद्धस्य पुनः स्वप्ने स्थितिस्तयोः ॥ ३८॥
એ બંને પ્રતીતિકાલમાંજ સ્થિત હોવાથી પ્રતિભાસિક છે. સ્વપ્નમાંથી જાગેલાની પુનઃ સ્વપ્નમાં સ્થિતિ નથી, તેથી તે બંને નથી.
એ જીવ તથા જગત પ્રતીતિના સમયમાંજ સ્થિત હોવાથી તે બને પ્રતિભાસિક એટલે પ્રતીતિના સમયમાં જ પ્રતીત થનાર કહેવાય છે. સ્વમમાંથી જાગેલા પુરુષની પુનઃ સ્વમમાં સ્થિતિ થતી નથી, તેથી સ્વમને જગત ને જીવ એ બંને જાગેલાને પ્રતીત થતાં નથી. ૩૮.
પ્રતિભાસિક જીવના સ્વરૂપને કહી તેનાથી ભિન્ન વ્યાવહારિક જીવને કહે છે–
प्रातिभासिकजीवस्तु जगत्तत्प्रातिमासिकम् । .... वास्तवं मन्यते यस्तु मिथ्येति व्यवहारकः ॥ ३९ ॥
પ્રતિભાસિક જીવ તે તે પ્રતિભાસિક જગને વાસ્તવિક માને છે. જે તેને મિથ્યા એમ માને છે તે વ્યાવહારિક
જીવ છે.
સ્વમાવસ્થાવાળો પ્રતિભાસિક જીવ તે છીપમાં કલ્પાયેલા રૂપાના જેવા કલ્પિત–માત્ર પ્રતીત થનારા-સ્વમ જગતને સત્ય માને છે. જે એ સ્વમના જગતને મિથા જાણે છે તે વ્યાવહારિક જીવ કહેવાય છે. ૩૯
એવી રીતે પ્રતિભાસિક જીવથી વ્યાવહારિક જીવને ભેદ કહીને હવે વ્યાવહારિક જીવથી પાસ્માર્થિક જીવને ભેદ કહે છે—
व्यावहारिकजीवस्तु जगत्तद्वयावहारिकम् । सस्यं प्रत्येति मिथ्येति मन्यते पारमार्थिकः ॥४०॥