________________
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ને
સવિપસમાધિ કહેવાય છે, તે કહેલા વિકલ્પાના સારી રીતે વિલય થઇને અખંડ સચ્ચિદાનંદાત્મામાં જે ચિત્તની એકાગ્રતા તે નિર્વિકલ્પસમાધિ કહેવાય છે. તેમાં સવિકલ્પસમાધિના એ પ્રકાર છે, દશ્યાનુવિદ્ધ ને શબ્દાનુવિદ્ધ ૨૩.
હવે દશ્યાનુવિદ્ધનું સ્વરૂપ કહે છેઃ— कामाद्याश्चित्तसादृश्यात्तत्साक्षित्वेन चेतनां । થાયેય પાનુવિદ્દોનું સમાધિઃ સવિ૧૪: ॥૨૪॥ કામાદિ વૃત્તિએ ચિત્તના સદશપણાથી જડ છે. તેના સાક્ષીપણાવડે ચેતનનું ધ્યાન કરે, આ દશ્યાનુવિદ્ધ સવિકલ્પ સમાધિ છે.
૭૪
દૃશ્ય હાવાથી તે ચિત્તની પેઠે આવિર્ભાવતરાભાવરૂપ ધર્મવાળી હાવાથી કામક્રોધાદિ વૃત્તિએ ચિત્તનીજ છે. વળી જાગ્રત્ ને સ્વપ્નમાં જ્યારે ચિત્ત હૈાય ત્યારે તે વૃત્તિ હોય છે, તે સુષુપ્તિમાં ચિત્તના અભાવ હાવાથી તે વૃત્તિઓ હાતી નથી, તેથી પણ સિદ્ધ થાય છે કે કામક્રોધાદિ વૃત્તિ ચિત્તનીજ છે, આત્માની નથી. આમ હવાથી તેના સાક્ષીપાવડે ભેદ પામીને પ્રતીત થતા સ્વપ્રકાશ ચિદાત્માનું ધ્યાન કરે. આવી રીતે દૃશ્યથી ભિન્ન સાક્ષીનું ધ્યાન કરવું આ દૃસ્યાનુવિદ્ધ સવિકલ્પસમાધિ કહેવાય છે. ૨૪.
એવી રીતે સ્થૂલ (દૃશ્યાનુવિદ્ધ) સર્વિકલ્પ સમાધિને કહીને હવે સૂક્ષ્મ (શાનુવિદ્ધ) સવિકલ્પ સમાધિને કહે છે:—
असंगः सच्चिदानन्दस्वप्रभो द्वैतवर्जितः । अस्मीति शब्दविद्धोऽयं सविकल्पः समाहितः ॥ २५ ॥ અસંગ, સચ્ચિદાનંદ, સ્વપ્રકાશ ને દ્વૈતરહિત હું છું, આ શબ્દવડે વિધાયેલ આ સવિકલ્પ સમાધિ છે,