SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ }¢ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રતા. શરીર છે. તે ત્રણ અવસ્થાને અનુસરે છે. તે લિ મશરીર કારણશરીરમાંથી ઉપજે છે, ને કારણશરીરમાં લીન થાય છે. મન અને અહંકાર એ બંને જરૂપ એક લિ‘ગશરીરમાં–સમજિસક્ષ્મશરીરમાં–રહેલાં છે. મનુષ્યાદિનું લિંગશરીર જાગ્રત, સ્વપ્ન ને સુષુપ્તિ આ ત્રણ અવસ્થાને પામે છે, ક્યારેક મૂર્ચ્છાવસ્થાને પશુ પામે છે. તે લિંગશરીર અવિદ્યાના અંશરૂપ કારણુશરીરમાંથી ઉપજે છે, ને સુષુપ્તિમાં કારણુશરીરમાં લીન થાય છે. ૧૨. એવી રીતે ંપદના અર્થ સર્વ અવસ્થાઓના સાક્ષીપાથી અવસ્થાઓ ને અંત:કરણથી વિલક્ષણ, અવિકારી ને નિત્ય પ્રત્યગાત્મા છે એમ નક્કી કર્યું. હવે તત્પદના અર્થને શોધવાના પ્રારંભ કરે છેઃशक्तिद्वयं हि मायाया विक्षेपावृतिरूपकं । विक्षेपशक्तिलिंगादिग्रह्मांडांतं जगत्सृजेत् ॥ १३ ॥ વિક્ષેપ અને આવરણુરૂપ એ શક્તિ પ્રસિદ્ધ માયાની છે. વિક્ષેપશક્તિ સૂક્ષ્મશરીરથી માંડીને બ્રહ્માંડપર્યંત જગત્ રચે છે. આ જગના ઉપાદાનકારણરૂપ માયા વા પ્રકૃતિની એ શક્તિ. આ છે. એક વિક્ષેપશક્તિ ને ખીજી આવરણુશક્તિ. તેમાં વિક્ષેપશક્તિ સત્તર તત્ત્વરૂપ લિંગશરીરથી આરંળીને બ્રહ્માંડ એટલે સમષ્ટિ સ્થૂલશરીરપર્યંતના જગ રચે છે. તાર્કિકાએ માનેલાં પરમાણુ કે સાંખ્યયાગવાળાએ માનેલું પ્રધાન આ જગત્નું કારણ નથી. ૧૩. બ્રહ્મ આ જગતનું વાસ્તવિક ઉપાદાનકારણ નથી, પણ સત્તાસ્મૃતિ આપવાવડે તે આ જગત્ નું વિવŕપાદાનકારણુ ગણાય છે એમ કહે છેઃ—
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy