________________
શ્રીવાક્યસુધા. सृष्टिनाम ब्रह्मरूपे सच्चिदानन्दवस्तुनि । अम्बुफेनादिवत्सर्व नामरूपप्रसारणं ॥ १४ ॥
જલમાં ફીણદિની પેઠે બ્રહ્મરૂપ સચ્ચિદાનંદ વસ્તુમાં સૃષ્ટિ એટલે સર્વ નામરૂપને વિસ્તાર છે.
| જલમાં જોવામાં આવતાં ફીણ તથા પરપોટા જલથી ભિન્ન નથી, કેમકે જલવિના તેમના નિરૂપણ કરવાગ્ય સ્વરૂપને અભાવ છે. તે જલથી અભિન્ન પણ નથી, કેમકે તેમની જલથી ભિન્ન પ્રતીતિ થાય છે. તે જલથી ભિન્નભિન્ન પણ નથી, કેમકે ભિન્ન ને અભિન્નને પરસ્પરમાં વિરોધ છે. એવી રીતે જગત પણ સચ્ચિદાનંદ૨૫ બ્રહ્મથી ભિન્ન નથી, કેમકે ચૈતન્યવિના આ જગતનું સ્વતંત્રપણે
પણ થઈ શકતું નથી. જગત ચૈતન્યથી અભિન્ન પણ નથી, કેમકે તે પૃથફ પ્રતીત થાય છે, દ્રિવ અનુભવાય છે, જડ છે, સ્કૂલ છે, ને અનેક પ્રકારનું છે. ભિન્નભિન્નનો વિરોધ હેવાથી તે બ્રહથી ભિન્નભિન્ન પણ નથી. ૧૫,
હવે આવરણશક્તિને તથા તેના કાર્યને જણાવે છે– । अन्तग्यश्ययोर्भेदं बहिश्च ब्रह्मसर्गयोः । થssોચcer : Rા સંસારી જ શકો
જે બીજી શક્તિ અંતરના દ્રષ્ટા ને દશ્યના વિલક્ષણપણને તથા બહારના બ્રહ્મ ને સુષ્ટિના વિલક્ષણપણને ઢાંકે છે, તે સંસારનું કારણ છે.
વિક્ષેપથી ભિન્ન માયાની બીજી શક્તિ જે આવરણનામથી પ્રસિદ્ધ છેતે શરીરની અંતર દ્રષ્ટારૂપ આત્માના ને દશ્યરૂપ અહંકારાદિના વિલક્ષણપણને ઢકે છે, તથા શરીરથી બહારના પરિપૂર્ણ બ્રહ્મન ને પ્રતીત થતા જગતના વિલક્ષણપણને ઢાંકે છે, તે શક્તિ