________________
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ના,
જાત્રાદિ અવસ્થા અંતઃકરણની છે, અસંગ ને અવિકારી આ માની નથી, એમ પ્રતિપાદન કરે છે:
૬૪
चिच्छायाशतो बुद्धौ भानं धीस्तु द्विधा स्थिता । एकाहंकृतिरन्या स्यादन्तःकरणरूपिणी ॥ ६ ॥ ચેતનના આભાસના પ્રવેશથી બુદ્ધિમાં આત્માનું ભાન થાય છે. તે બુદ્ધિ બે પ્રકારે સ્થિત છે, એક અહંકારરૂપ ને શ્રીજી મનારૂપ છે.
પ્રત્યગાત્મસ્વરૂપના આભાસને અંતઃકરણમાં પ્રવેશ થાય છે, તેથી આત્માનું વિશેષ ભાન થાય છે. ચિદાત્મા સ્વરૂપના પ્રકાશપાવડે પેતે સર્વદા ભાસમાન હતાં પણ પેાતાના નિવિશેષપણાથી વિશેષ ભાસમાન થતે નથી. તે ચિદાત્મામાં કલ્પિત અનાદિ અનિર્વચનીય અજ્ઞાન જ્યારે કર્મથી ઊડેલી વાસનાથી અંતઃકરણને આકારે થાય છે ત્યારે તેમાં પ્રકાશકપણુાવડે અનુગત ચિદાત્મા અંતઃકરણને આકારે પ્રતીત થાય છે. આ વેલા અંતઃકરણ તે આત્માના એકપણાની પ્રતીતિથી તે વિશેષવડે આત્મ! સવિશેષ ભાસે છે, જે અંતઃકરણમાં આત્માનું એવી રીતે ભાન થાય છે તે અંત:કરણ એ પ્રકારે સ્થિત છે, એક અહંકારરૂપે ને અન્ય મનરૂપે. ૬.
ચેતનરૂપ આત્મા ને જડરૂપ મુદ્વના એકપણાની ભ્રાંત કહી તેને દૃષ્ટાંતવડે સ્પષ્ટ કરે છેઃ—
छायाहंकारयोरैक्यं तप्तायः पिण्डवन्मतं ।
तदहंकारतादात्म्य देहश्चेतनतामियात् ॥ ७ ॥
આભાસ અને અહંકારનું એકપણું તપેલા લાઢાના ગાળાના જેવું માનેલું છે. તે અહંકારના એકપણાથી ઢહ ચેતનપણાને પામેલા જણાય છે.