SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીવાક્યસુધા. ધીરજ, લેકલજજા, નિશ્ચય ને ભય ઈત્યાદિને એક પ્રકારનું ચેતન પ્રકાશે છે. ઇચ્છા, પદાર્થોમાં રમણીયપણાની કલ્પના, સંશય-વિરુદ્ધ બે કટિને વિષય કરનારી અંતકરણની વૃત્તિ, શાસ્ત્રાદિમાં પ્રમાણપણના નિશ્ચયવાળી વૃત્તિ, શાસ્ત્રાદિમાં પ્રમાણપણના નિશ્ચયવિનાની વૃત્તિ, ધર્મ, અધેર્ય, અયોગ્ય કર્મમાં લોકલજજા, કેઈ પણ વિષયના નિશ્ચયવાળી વૃત્તિ, ભય, ધ, લોભ, મેહ ને મદાદિ અનેક પ્રકારની વૃત્તિઓવાળા અતઃકરણને સર્વદા એકરૂપે રહેનાર–અવસ્થાતર ને ધર્માતરવિનાનું–ચેતન પ્રકાશે છે. તે ચેતનને પ્રકાશના અન્ય કઇ પદાર્થ નથી. ૪. અંતઃકરણદિની સર્વ અવસ્થાઓના સાક્ષિભૂત ચેતનનું અવિકારીપણું સિદ્ધ કરતા છતા તેનું એકરૂપપણું અને સર્વના પ્રકાશકપણીવડે તથા સર્વત્ર અવ્યભિચારીપણુવડે અદ્વિતીયપણું પ્રતિપાદન કરે છે – नोदेति नास्तमेत्येषा न वृद्धिं याति न क्षयम् । स्वयं तथाविधान्यानि भासयत्साधनं विना ॥ ५ ॥ આ ચેતન જન્મતું નથી, વિનાશ પામતું નથી, વૃદ્ધિને પામતું નથી, ક્ષીણતાને પામતું નથી; પતે તેવા પ્રકારનને તથા અન્યને સાધનવિના પ્રકાશે છે. આ નિરવયવ ચેતન સર્વના સાક્ષિભૂતપણુવડે સર્વવ્યાપક છતાં પણ તે કઈ નિમિત્તથી ઉત્પન્ન થતું નથી, કોઈ પણ હેતુથી તે વિનાશ પામતું નથી, કેઈ સામગ્રીવડે તે વૃદ્ધિને પામતું નથી, કોઈ પણ નિમિત્તથી તે ઘટતું નથી, તે અન્ય પરિણામને પામતું નથી, અને ઉત્પન્ન થવાની યોગ્યતાવાળ પણ તે નથી. આવી રીતે આ ચેતન છે ભાવવિકારોથી રહિત છે. આ ચેતન પિતે અસંગી ને અવિકારી રહી કોઈ પણ સાધનવિના ઉપર કહેલા સર્વ વિકારવાળા પદાર્થોને તથા અન્યોને પ્રકાશે છે. ૫.
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy