SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીશકરાચાર્યનાં અષ્ટાદશ ર. બહુ દોથી દ્રષ્ટાપણાવડે નક્કી કરેલા એક નેત્રનું પણ સાક્ષાત્ દ્રષ્ટાપણું નથી, કેમકે તેનું પણ એકરૂપપણું રહેતું નથી, તેથી નેત્ર પણ દૃશ્યજ છે. એ નેત્રાદિનું દ્રષ્ટા મન છે એમ નીચેના કવડે જણાવે છે – आन्ध्यमान्द्यपटुत्वेषु नेत्रधर्मेण्वनेकधा। संकल्पयन्मनः श्रोत्रत्वगादौ योज्यतामिति ॥ ३ ॥ અંધપણું, મંદપણું ને પટુપણું એવા અનેક પ્રકારના નેત્રના ધર્મોની કલ્પના કરતું છતું મન દ્રષ્ટા છે. શ્રેત્ર ને ત્વચા આદિમાં આ પ્રમાણે રોજના કરવી. . જોકે એક પુરુષમાં એકજ નેત્રંદ્રિય છે તો પણ તે એકરૂપવાળું નથી, અનેકરૂપવાળું છે. અંધપણું, મંદપણું ને સારી રીતે કામ કરવાની યોગ્યતાવાળાપણું એમ અવસ્થાના ભેદવડે તેનું વિકારીપણું જણાય છે. જે વિકારી હોય તેમાં પોતાના વિકારનું દ્રષ્ટાપણું સંભવતું નથી. તેનું દ્રષ્ટાપણું કેઈ અન્યમાં સંભવે છે. નેત્રના દ્રષ્ટાનો વિચાર કરતાં અંત:કરણમાં તેનું દ્રષ્ટાપણું છે એમ સિદ્ધ થાય છે. અંધપણું, મંદપણું ને યથાયોગ્યપણું એવા નેત્રના અનેક વ્યભિચારી ધર્મોમાં હું અંધ, હું મદદષ્ટિવાળે, ને હું નિર્દોષનેત્રવાળે એમ અનેક પ્રકારે સંકલ્પ કરતું છતું અંતઃકરણ તેના દ્રષ્ટાપણને પામે છે. અંતઃકરણ જેમ નેત્રનું દ્રષ્ટા છે, તેમ તે શ્રેત્ર ને ત્વચા આદિ અન્ય ઇકિયોનું પણ દ્રષ્ટા છે. ૩. હવે નેત્રાદિની પેઠે મન પણ અન્યનું દશ્ય છે એમ જણાવે છે – મામ સંવરજી શ્રદ્ધાશ્ર વૃતાત . ही( रित्येवमादीन् भासयत्येकधा चितिः ॥ ४ ॥ ઇચ્છા, સંકલ્પ, સંશય, શ્રદ્ધા, અશ્રદ્ધા, ધીરજ, અ
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy