________________
શ્રીવાક્યસુધા.
કતાં નથી, હમણું મારાં નેત્રનું સામર્થ ઘટવા માંડયું છે ને આગળ મારાં નેત્રોમાં બહુ સૂમ વસ્તુઓ જોવાનું સામર્થ હતું, આમ નેત્રોની સ્થિતિનો વિચાર કરવામાં આવે છે ત્યારે નેત્રો દ્રષ્ટા મટીને દશ્ય થઇ જાય છે, ને તે નેત્રનું દ્રષ્ટા મન છે એમ નક્કી થાય છે. એ મન વા અંતઃકરણ ને તેની વૃત્તિઓના ઉદય તથા અસ્તને અને તેના શુભાશુભ વેગને જાણનારો અન્ય કોઈ છે એમ જણાય છે, આનેજ વાસ્તવિક દ્રષ્ટા અથવા સાક્ષી કહેવામાં આવે છે. આ સાક્ષીની અપેક્ષાએ અંતઃકરણની વૃત્તિઓ જે આગળ કષ્ટારૂપ ગણુતી હતી તે હવે દશ્યપણુને પામે છે. આ સાક્ષી અંતિમ-છેવટ-દ્રષ્ટા છે, તે કેાઇનો દૃશ્ય થતું. નથી. આ દ્રષ્ટાને જે બીજે દ્રષ્ટા માનવામાં આવે તે અનવસ્થાદેષની પ્રાપ્તિ થાય છે. ૧.
નીલાદિ અનેક પ્રકારનાં રૂપે છતાં તેને જોનારું નેત્ર એક પ્રકારનું છે એમ પ્રતિપાદન કરે છે –
नीलपीतस्थूलसूक्ष्मस्वदीर्घादिभेदतः । नानाविधानि रूपाणि पश्यल्लोचनमेकधा ॥ २॥
નલ, પિત, સ્થલ, સ્વ ને દીર્ધાદિના ભેદથી નાનાપ્રકારનાં રૂપને એક પ્રકારનું નેત્ર જુએ છે. - વાદળી, પીળું, રાતું, લીલું, ધોળુ, કાળું, જાંબુવું, ચળકાટવાળું, ચળકાટરહિત, જાડું, ઝીણું, ટું, લાંબું, વાંકું ને ગોળ આદિ અનેક પ્રકારનાં પરસ્પર વ્યભિચારી રૂપે જોતું છતું લોચન એક પ્રકારનુંજ રહે છે, વ્યભિચાર પામતું નથી. આવી રીતે રૂપ અનેક પ્રકારનાં ને એકબીજાથી વિપરીત છે, તે દશ્ય છે, અને તે દૃશ્યની અપેક્ષાએ નેત્ર તે સર્વ રૂપોનું દ્રષ્ટા છે. ૨. .