________________
શ્રીવાક્યસુધા.
૬૫
જેમ અગ્નિના વ્યાપ્તપણુાવડે લાઢાના ગાળા અગ્નિપણાને પામેલા જણાય છે તેમ આત્મચૈતન્યના વ્યાપ્તપાવર્ડ અહંકાર ચંતનપણાને પામેલા જણાય છે. એવી રીતે લિ’ગશરીરના અધ્યાસથી આત્મામાં કર્તાપણાના તથા ભાતાપણાના વ્યવહાર પ્રવૃત્ત થાય છે. સ્થૂલશરીરના આત્મામાં અધ્યાસ થવાથી સ્થૂલશરીર પશુ હું એવા વ્યવહારને યાગ્ય થાય છે.
હવે કહેલા અહંકારના એકપણાને વિષયના ભેવર્ડ વિભાગ કરીને પ્રતિપાદન કરે છેઃ—
अहंकारस्य तादात्म्यं चिच्छा या देहसाक्षिभिः । सहजं कर्मजं भ्रान्तिजन्यं च त्रिविधं क्रमात् ॥ ८ ॥ ચિદાભાસ, લશરીર ને સાક્ષીની સાથે અહંકારનું એકપછ્' સહજ, કર્મજ તે ભ્રમજ એમ ક્રમથી ત્રણ પ્રકારનું છે.
ચિદાભાસની સાથે અહંકારનું એકપણું સહેજ એટલે ઉત્પત્તિવિશિષ્ટ છે,—ચિદાભાસની પ્રતીતિ અહંકારની ઉત્પત્તિની સાથેજ છે, તેથી હું જાણું છું એવા અનુભવ થાય છે. સ્થૂલશરીરની સાથે અહં કારનું એકપણું પૂર્વના ધર્માધર્મથી ઉપજેલું છે, તેથી હું મનુષ્ય છું એવા અનુભવ થાય છે. સાક્ષીની સાથે અહંકારનું એકપણું ભ્રમમાત્રથી સિદ્ધ છે, તેથી હું છું એવા અનુભવ થાય છે. એવી રીતે અહંકારનું એકપણું ત્રિવિધ છે. ૮.
હવે કહેલા અહંકારના એકપણાની પ્રતીતિઓની નિવૃત્તિના હતુતે ક્રમપૂર્વક પ્રતિપાદન કરે છેઃ——
सम्बंधिनोः सतोर्नास्ति निवृत्तिः सहजस्य तु । कर्मक्षयात्मबोधाच निवर्तेते क्रमादुभे ॥ ९ ॥