________________
શ્રીવિજ્ઞાનનકા.
૫૯
આ વિજ્ઞાનનૈકાવડે ભવસાગરને પાર પામનારને ધન્યવાદ આપી આ સ્તોત્રની સમાપ્તિ કરે છે –
विज्ञाननावं परिगृह्य कश्चित् , 'तरेद्यदज्ञानमयं भवाब्धिम् । शानासिना यो हि विच्छिद्य तृष्णां,
विष्णोः पदं याति स एव धन्यः ॥ १० ॥ इति श्रीमत्परमहंसपरिव्राजकाचार्यश्रीमच्छंकराचार्यविरचितं
विज्ञाननौकास्तोत्रं संपूर्णम् ॥ ४॥ - વિજ્ઞાનરૂપ વહાણને ગ્રહણ કરીને જે કોઈ અજ્ઞાનમય સમુદ્રને તરે, અને જ્ઞાનરૂપ તરવારવડે જે તૃષ્ણને છેદીને પરમાત્માના સ્વરૂપને પામે તેજ ધન્ય છે.
જે પુરુષપ્રયત્નવાળે વિરલ પુરુષ આ આત્મસ્વરૂપને ઉપદેશ કરનાર વિજ્ઞાનરૂપ અભેદ્ય વહાણને પ્રાપ્ત કરીને તેવડે આ ભયંકર અજ્ઞાનમય સાગરને અનાયાસે તરી જાય, અને આ આત્મજ્ઞાનરૂપ તરવારવિડે જે મહાભાગ્યશાલી પુરુષ શબ્દાદિ વિષયેની ને તેમનાં ઉપકરણોની દુરંત તૃષ્ણાને નિઃશેષ છેદી નાંખીને પરમાત્મસ્વરૂપની અભેદભાવે પ્રાપ્તિ કરે તે મહાપુwજ આ લોકમાં ધન્ય છે. ધનાઢ્યો, રાજાઓ કે પંડિત ધન્ય નથી. ૧૦.
એ પ્રમાણે બ્રહ્મવિદ્યાવાળા પરમહંસે ને પરિવ્રાજકોના આચાર્ય શ્રી શંકરાચાર્યજીએ રચેલા વિજ્ઞાનનૈકાનામના. તેત્રરૂપ ચેથા રત્નની ભાવાર્થદીપિકાનામની ગુજરાતીભાષાની ટીકા પૂરી થઈ. ૪.