SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીવિજ્ઞાનનકા. ૫૯ આ વિજ્ઞાનનૈકાવડે ભવસાગરને પાર પામનારને ધન્યવાદ આપી આ સ્તોત્રની સમાપ્તિ કરે છે – विज्ञाननावं परिगृह्य कश्चित् , 'तरेद्यदज्ञानमयं भवाब्धिम् । शानासिना यो हि विच्छिद्य तृष्णां, विष्णोः पदं याति स एव धन्यः ॥ १० ॥ इति श्रीमत्परमहंसपरिव्राजकाचार्यश्रीमच्छंकराचार्यविरचितं विज्ञाननौकास्तोत्रं संपूर्णम् ॥ ४॥ - વિજ્ઞાનરૂપ વહાણને ગ્રહણ કરીને જે કોઈ અજ્ઞાનમય સમુદ્રને તરે, અને જ્ઞાનરૂપ તરવારવડે જે તૃષ્ણને છેદીને પરમાત્માના સ્વરૂપને પામે તેજ ધન્ય છે. જે પુરુષપ્રયત્નવાળે વિરલ પુરુષ આ આત્મસ્વરૂપને ઉપદેશ કરનાર વિજ્ઞાનરૂપ અભેદ્ય વહાણને પ્રાપ્ત કરીને તેવડે આ ભયંકર અજ્ઞાનમય સાગરને અનાયાસે તરી જાય, અને આ આત્મજ્ઞાનરૂપ તરવારવિડે જે મહાભાગ્યશાલી પુરુષ શબ્દાદિ વિષયેની ને તેમનાં ઉપકરણોની દુરંત તૃષ્ણાને નિઃશેષ છેદી નાંખીને પરમાત્મસ્વરૂપની અભેદભાવે પ્રાપ્તિ કરે તે મહાપુwજ આ લોકમાં ધન્ય છે. ધનાઢ્યો, રાજાઓ કે પંડિત ધન્ય નથી. ૧૦. એ પ્રમાણે બ્રહ્મવિદ્યાવાળા પરમહંસે ને પરિવ્રાજકોના આચાર્ય શ્રી શંકરાચાર્યજીએ રચેલા વિજ્ઞાનનૈકાનામના. તેત્રરૂપ ચેથા રત્નની ભાવાર્થદીપિકાનામની ગુજરાતીભાષાની ટીકા પૂરી થઈ. ૪.
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy