SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. અત્યંતરહિત, હું બ્રહ્મ છું આવી વૃત્તિના ઉદયવડજ અભેદભાવે જાણી, શકાય એવું, વિશ્વ, તેજસ ને પ્રાણ એ ત્રણની અપેક્ષાએ તથા વિરા, હિરણ્યગર્ભ ને અંતર્યામી એ ત્રણની અપેક્ષાએ ચતુર્થ, નિત્ય પર બ્રહ્મ છે તે નિત્ય પર બ્રહ્મજ હું છું. ૩. વળી પ્રકારાન્તરે પોતાના બ્રહ્મસ્વરૂપનું વર્ણન કરે છે – यदज्ञानतो भाति विश्वं समस्तं, विनष्टं च सद्यो यदात्मप्रबोधे । मनोवागतीतं विशुद्धं विमुक्तं, परं ब्रह्म नित्यं तदेवाहमस्मि ॥ ४ ॥ જેના અજ્ઞાનથી સમગ્ર જગત પ્રતીત થાય છે, ને જેના સ્વરૂપનું જ્ઞાન થયે શીધ્ર બાધ પામે છે, જે મન તથા વાણીથી પર, અત્યંત શુદ્ધ ને નિત્યમુક્ત નિત્ય પર બ્રહ્મ છે તે હુંજ છું. ત્રણે કાલમાં રક્તાર પર બ્રહ્મના અજ્ઞાનથી આ નામરૂપક્રિયાવાળું સર્વ જગત પ્રતીત થાય છે, અને જેના પ્રત્યક્ષજ્ઞાનથી પૂર્વે સત્યરૂપે ભાસતું સર્વ જગત શીધ્ર મિથ્યાપણુના નિશ્ચયવાળું થાય છે, જેને મન તથા વાણી ઘટાદિની પેઠે વિષય કરી શકતાં નથી, જે અવિદ્યાદિ સર્વ દેષોથી સર્વદા રહિત છે, અને જે સર્વદા મુક્ત નિત્ય પર બ્રહ્મ છે, તે પર બ્રહ્મજ હું છું. જેમ સૂર્યના કિરણના અજ્ઞાનથી તેમાં મૃગજળની પ્રતીતિ તથા સત્યતાનું ભાને થાય છે, ને સૂર્યના કિરણના જ્ઞાનથી તે મૃગજલના મિથાપણને નિશ્ચય થાય છે, તેમ બ્રહ્મના અજ્ઞાનથી તેમાં જગતની પ્રતીતિ તથા સત્યતાનું ભાન થાય છે, અને બ્રહ્મના દ્રઢ જ્ઞાનથી જગતના શિડ્યાપણાનો નિશ્ચય થાય છે. બ્રહ્મ મનની અંદર રહેલું હોવાથી મન તેને આ બ્રહ્મ એમ જાણું શકતું નથી, ને વાણી પણ તેનું આ બ્રહ્મ
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy