________________
શ્રીવિજ્ઞાનનોકા.
૫૫
એમ નિરૂપણ કરી શકતી નથી. બ્રહ્મ અસંગસ્વભાવવાળું હોવાથી તેમાં કોઈ પણ પ્રકારના દેષને લેશ પણ સંભવ નથી. અહંકારાદિ બંધ કલ્પિત હેવાથી બ્રહ્મ સર્વદા મુક્તજ છે. ૪. વળી પિતાના બ્રહ્મસ્વરૂપનું પ્રકારતરે વર્ણન કરે છે -- * निषेधे कृते नेति नेतीति वाक्यैः, समाधिस्थितानां यदाभाति पूर्णम् । अवस्थात्रयातीतमद्वैतमेकं, परं ब्रह्म नित्यं तदेवाहमास्मि ॥ ५ ॥
આ નહિ, આ નહિ, આવાં વાવડે નિષેધ કરે સતે સમાધિમાં સ્થિર થયેલાને જે પૂર્ણ, ત્રણ અવસ્થાએથી પર, અદ્વૈત ને એક પ્રતીત થાય છે, તે નિત્ય પર બ્રહ્મ હુંજ છું. - પૃથવી, જલ ને તેજ બ્રહ્મ નથી, તેમજ વાયુ, આકાશ ને માયા પણ બ્રહ્મ નથી, એમ માયાનાં કાર્યોના ને માયાના બ્રહ્મપણાનો નિષેધ કરનારાં વેદવચનોવડે તેમને નિષેધ કરે તે જેમનું અંતઃકરણ બ્રહ્મમાં સ્થિર થયું છે એવા મહાપુને જે દેશ, કાલ ને વસ્તુના પરિચ્છેદથી રહિત, જાગ્રત, સ્વપ્ન ને સુષુપ્તિ આ અંતઃકરણની ત્રણ અવસ્થામાંથી પર, દૈતથી વિલક્ષણ, ને એક તત્વ અનુભવાય છે, તે ત્રણે કાલમાં એકરૂપે રહેનાર પર બ્રહ્મ હુંજ છું. ૫. પુનઃ પરમાનંદાદિ સ્વભાવવાળા પોતાના સ્વરૂપનું નિરૂપણ કરે છે –
यदानन्दलेशैः समाननदि विश्वम् , यदाभाति सत्त्वे तदाभाति सर्वम् । यदालोचने हेयमन्यत्समस्तम् , परं ब्रह्म नित्यं तदेवाहमस्मि ॥ ६ ॥