________________
શ્રીવિજ્ઞાનનકા.
૫૩
દયાલુ, પરમશાંત ને બ્રહ્મનિષ્ઠ સદ્દગુરુનું ભક્તિવડે સારી રીતે આરાધના કરીને, સ્વરૂપને વિચારીને, અને નિદિધ્યાસ કરીને વિદ્વાન જે તત્ત્વને પામે છે તે નિત્ય પરબ્રહ્મ હુંજ છું.
પરમકારણિક, ધાદિ મનોવિકારોથી અત્યંતરહિત, ને બ્રહ્મતત્વમાં જેમનું અંતઃકરણ સ્થિર થયું છે એવા બ્રહ્મોપદેણાની પ્રીતિવડે સારી રીતે આરાધના કરીને, આત્માથી અભિન બ્રહ્મના સ્વરૂપને તેઓબીથી જાણીને, એકાંતમાં બેસી, પરમાદરવડે પ્રસન્નમને તે સ્વરૂપનું મનન કરીને, અને અનાત્મપદાર્થને આકારે પરિણામ પામતા અંતઃકરણુના વેગને રોકીને તેને બ્રહ્મને આકારે પરિણામ પમાડવાનો પ્રયત્ન કરીને તત્વજ્ઞાની જે પરમતત્વને પામે છે તે નિત્ય પર બ્રહ્મ હું છું, દેહાદ હું નથી. ૨.
નીચેના શોકમાં આનંદાદિ સ્વભાવવાળું બ્રહ્મ હું છું એમ નિરૂપણ કરે છે –
यदानन्दरूपं प्रकाशस्वरूपं, निरस्तप्रपंचं परिच्छेदशून्यम् । अहं ब्रह्मवृत्त्यैकगम्यं तुरीयं, परं ब्रह्म नित्यं तदेवाहमस्मि ॥ ३॥
જે આનંદરૂપ, પ્રકાશ સ્વરૂપ, પ્રપંચરહિત, પરિ છેરહિત, હું બ્રહ્મ છું આવી વૃત્તિવડેજ જાણી શકાય એવું, ને તુરીય નિત્ય પર બ્રહ્મ છે તે હુંજ છું.
જે ત્રણે કાલમાં એકરૂપે રહેનાર પર બ્રહ્મ પરમાનંદરૂપ, જેનો જ્ઞાનસ્વભાવ કદીપણુ લેપ ન પામે એવું, નામ, રૂ૫ ને ક્રિયારૂપ જગત ને તેના કારણે માયાને અભાવવાળું, દેશ, કાલ ને વસ્તુના પરિચ્છેદથી