SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીરાંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ન. तपोयज्ञदानादिभिः शुद्धबुद्धिः, विरक्तो नृपादौ पदे तुच्छबुद्धया । परित्यज्य सर्व यदाप्नोति तत्त्वं, परं ब्रह्म नित्यं तदेवाहमस्मि ॥ १ ॥ તપ, યજ્ઞ ને દાનાદિવધુ શુદ્ધબુદ્ધિવાળા ને તુક્ષુદ્ધિવડે રાજાદિના પદમાં વૈરાગ્યવાળા મેાક્ષસાધક સર્વને પરિત્યાગ કરીને જે તત્ત્વને પામે છે તે નિત્ય પરબ્રહ્મ હુંજ છું. પર }ચાંદ્રાયણાદિરૂપ, વા વર્ણાશ્રમના ધર્મના` પરિપાલનરૂપ, આહારને નિયમમાં રાખવારૂપ, વા અંત:કરણુ તથા ઇંદ્રિયાને એકાગ્ર રાખવારૂપ તપવડે, વ્યવડે, ક્રિયાવડે ને વિચારવડે સિદ્ધ થનારા યજ્ઞવડે; ને અન્ન, વસ્ત્ર, સુવર્ણાદિ, ગાય ને ભૂમિ આદિના દાનવડે તથા અહિંસ ને સત્યાદિ ખીજાં શુભકમેૌવડે જેનું અંતઃકરણ પવિત્ર થયેલું છે એવા, અને ચક્રવર્તિ રાજાથી માંડીને હિરણ્યગર્ભના પદમાં તેને તુચ્છ સમજી જે વૈરાગ્યવાળા છે એવા મેક્ષ મેળવવા ઇચ્છતા સાધક માયાનાં કાર્યો ને માયાના પરિત્યાગ કરીને બ્રહ્મજ્ઞાનવડે જે પરમતત્ત્વને અભેદભાવે પામે છે, તે અનાદિઅનંત પરબ્રહ્મ હુંજ છું. ૧. શ્રીસદ્ગુરુની ભક્તિવડે, મનનવડે તથા નિદ્દિધ્યાસનવર્ડ પ્રાપ્ત થતું બ્રહ્મજ મારું સ્વરૂપ છે એમ કહે છે: दयालुं गुरुं ब्रह्मनिष्ठं प्रशांतं, समाराध्य भक्त्या विचार्य स्वरुपम् | यदाप्नोति तत्त्वं निदिध्यास्य विद्वान्, परं ब्रह्म नित्यं तदेवाहमस्मि ॥ २ ॥
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy