SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીષપદીસ્તોત્ર. ૪૯ उद्धृतनग नगभिदनुज दनुजकुलामित्र मित्रशशिदृष्टे । . दृष्टेः भवति प्रभवति न भवति किं भवतिरस्कारः ॥ ४ ॥ હે પર્વતને ઊપાડનારા ! હે ઇંદ્રના નાના ભાઈ ! હે દનુજકુલના શત્રો ! ને હે સૂર્યચંદ્રરૂપ નેત્રવાળા ! સદાદિરૂપવાળા આપને સાક્ષાત્કાર થયે શું સંસારને તિરસ્કાર નથી થતું? હે ગોવર્ધન પર્વતને ઊપાડનારા ! અથવા હે મંદિર પર્વતને પીઠપર ધારણ કરનારા ! હે પર્વતને ભેદનારા ઇદ્રના નાના ભાઈ !–વામન ! હે દે ને રાક્ષસેના કુલના શો! ને હે સૂર્ય તથા ચંદ્રરૂપ નેવાળ! મોક્ષસાધકને જે આપના સચ્ચિદાનંદસ્વભાવવાળા સ્વરૂપને દઢ સાક્ષાત્કાર થાય તો શું તેના અજ્ઞાનને ને તેના કાર્ય સંસારને આત્યંતિક નાશ નથી થતો ? થાય છેજ. ૪. પોતાના ભકતોનું રક્ષણ કરવાના સ્વભાવવાળા પરમાત્માની પોતાના સંસારતાપની નિવૃત્તિ કરવા માટે પુનઃ સ્તુતિ કરે છે – मत्स्यादिभिरवतारैरवतारवतावताखिलवसुधाम् । परमेश्वर परिपाल्यो भवता भवतापभीतोऽहम् ॥ ५ ॥ હે પરમેશ્વર ! મસ્યાદિ અવતારેવડે અવતારવાળા ને સમગ્ર પૃથિવીનું પાલન કરનારા આપશ્રીવડે સંસારદુઃખોથી ભય પામેલે હું પરિપાલન કરવા છું. હે બ્રહ્માદિના નિયંતા ! ભકતોનું રક્ષણ કરવા ને દુષ્ટોને વિનાશ કરવા મલ્યાદિ અવતારવડે અવતરનારા ને સમગ્ર પૃથિવીપરના પ્રાણએનું અનુગ્રહનિગ્રહવડે પરિપાલન કરનારા આપશ્રીવડે સંસારના ત્રિવિધ તાપથી અત્યંત ભય પામેલો હું સર્વદા સર્વથા રક્ષણ કરવાને ગ્ય છું. ૫.
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy