________________
૪૮
શ્રી શંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. , દેવનદીરૂપ પુપરસવાળાં, સચ્ચિદાનંદરૂપ સુગંધ ને પ્રસનતાવાળાં, ને સંસારને ભય તથા ખેદને વિનાશ કરનારાં શ્રીપતિનાં ચરણકમલને હું નમું છું. . દેવનદી એટલે ગંગાજી જે ચરણક્સલના મકરંદરૂપ છે, જે ચર
કમલ મનુષ્યોના મનનું હરણ કરનાર સચ્ચિદાનંદ રૂપ સુગંધવાળાં તથા પ્રફુલ્લિતપણુવાળાં છે, તથા જે ચરણકમલ અવિદ્યારૂપ કારણસહિત આ સંસારના ભયને તથા જન્મમરણાદિરૂપ ખેદનો અત્યંત નાશ કરનારાં છે, તે માયાના સ્વામી પરમાત્માનાં ચરણકમલોમાં હું બહુ પ્રેમ ને બહુ માનથી પ્રણામ કરું છું. ગંગાજી પરમાત્માના ચરણકમલમાંથી નીકછેલાં હોવાથી તેમને પરમાત્માનાં ચરણકમલના મકરંદરૂપે કહ્યાં છે. ૨.
વસ્તુતાએ જીવ તથા ઈશ્વરને અમેદ છતાં પણ તેમના વ્યાવહારિકભેદને દેખાડતા છતા પરમાત્માને પ્રસન્ન કરવા તેમની સ્તુતિ કરે છે –
संत्यपि भेदापगमे नाथ तवाहं न मामकीनस्त्वम् । सामुद्रो हि तरङ्गः क्वचन समुद्रो न तारङ्गः ॥ ३ ॥
- હે નાથ ! ભેદની નિવૃત્તિ થયે સતે પણ હું તમારે છું, તમે મારા નથી. તરંગ સમુદ્રને છે, પણ સમુદ્ર કદીપણ તરંગને નથી.
હે જગત્યને ! આપના વાસ્તવિક સ્વરૂપના જ્ઞાનવડે આપના પારમાર્થિક સ્વરૂપના તથા મારા પારમાર્થિક સ્વરૂપના ભેદની નિવૃત્તિ થયે સતે પણ વ્યાવહારિક રીતે હું આપના અંશરૂપ છું, પણ આપ મારા અંશરૂપ નથી. જેમ સમુદ્રમાં પ્રતીત થતો તરંગ સમુદ્રને અંશ ગણાય છે, પશુ સમુદ્ર કદીપણ તરંગનો અંશ ગણતા નથી તેમ. ૩.
પરમતત્વના સાક્ષાત્કારવિના મોક્ષલાભ થતો નથી, તેથી પરમતવના સાક્ષાત્કાર માટે ભગવાનને બહુ પ્રકાર સંબોધીને સ્તુતિ કરે છે –