SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી લક્ષદીઑત્ર. ૪૭. હે કારણરૂપે સર્વ પ્રાણિપદાર્થમાં વ્યાપી રહેલા પ્રમ! રાવણ તથા શિશુપાલાદિને નાશ કરાવનારા મહાદુષ્ટ અવિનયનો મારા અંત - કરણમાંથી નિઃશેષ નાશ કરી મારા અંતઃકરણને વિનયુક્ત કરવા કૃપા કરે. હે નાથ! મારા મનને વિષયાકારવૃત્તિથી રહિત કરવા કૃપા કરે. સમુદ્રનું પાન કરવું, મોટા પર્વતને મૂળમાંથી ઉખાડી નાંખ, ને અગ્નિ પાન કરવું એ કામના કરતાં પણ મનને વિષયાકારવૃત્તિથી રહિત કરવું એ કામ કઠિન છે એમ વિદ્વાને કહે છે, તેથી આપશ્રીની કૃપાવિના તે કામ મારાથી થઈ શકે એમ નથી. હે દયાલો! મારા મનમાં શબ્દાદિ વિયોમાં તથા તેનાં સાધનોમાં રહેલી સુખની તૃણ હોય તેને શમાવવાની દયા કરો, અથવા વિષયમાં રહેલો સૂમરાગ ને સ્થલરાગ મારા અંતઃકરણમાંથી દૂર કરવાની કૃપા કરે. વિથતૃwામ ને સ્થાને વિષયમૃતૃor એવું પાઠાંતર સ્વીકારીએ તે વિષયરૂપ મૃગતૃષ્ણનું મારા હદયમાંથી શમન કરે એવો અર્થ થાય છે. હે કરુણસિધે ! મારા હૃદયમાં સર્વ પ્રાણીઓ પર વિશુદ્ધ દયા રાખવાનું બલ વિસ્તારવાની કૃપા કરે, અર્થાત મારા અંતઃકરણમાં કોઈ પણ પ્રકારના સ્વાર્થ વિના અન્ય પ્રાણુઓના દુઃખની નિવૃત્તિ કરવાની ઈચ્છા વૃદ્ધિ પમાડવા દયા કરે. હે પરમકારુણિકઆત્માથી અભિન્ન બ્રહ્મના સાક્ષાત્કારરૂપ નૌકાવડે મને આ ત્રિવિધતાપરૂપ જલથી ભરેલા સંસારરૂપ સાગરથી તારવાની કરુણુ કરે. ૧. પરમાત્માની વંદનભકિતવડે પરમાત્માની કૃપા થવાથી મુમુક્ષુને તત્વજ્ઞાન દ્વારા મેક્ષ લાભ થાય છે, માટે નીચેના કવડે પરમાત્માના ચરણારવિંદને નમન કરે છે – .. दिव्यधुनीमकरन्दे परिमलपरिभोगसच्चिदानंदे । જ તિવાર જામ છલે જે ૨ |
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy