SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીસદાચારસ્તંત્ર. એમ જણાવે છે. એવી રીતે આત્માનો જ્ઞાનસ્વભાવ શ્રુતિ, યુક્તિ ને જ્ઞાનીઓના અનુભવવડે સિદ્ધ છે. વળી તે આત્મા અંતઃકરણની સર્વ વૃત્તિઓને પ્રકાશક હોવાથી મનના સંકલ્પોના સાક્ષિરૂપે તેને કહેલ છે. તે આત્મા હું છું, એમ જે પુરુષ સ્વાનુભવથી જાણે છે તે પુરુષ અવિદ્યા ને તેનાં કાર્યોથી મેળે થયેલ છે, એમાં લેશ પણ સંશય નથી. ૩૨, આત્મા સર્વ પ્રકાશક હોવાથી તેના જ્ઞાન માટે કઈ પ્રમાણેની અગત્ય નથી એમ કહે છે – प्रमाता च प्रमाणं च प्रमेयं प्रमितिस्तथा । ' यस्य भासावभासेत मानं ज्ञानाय तस्य किम् ॥ ३३ ॥ પ્રમાતા, પ્રમાણ, પ્રમેય ને પ્રમા જેના જ્ઞાનવડે પ્રતીત થાય છે તેના જ્ઞાનમાટે કયું પ્રમાણ જોઈએ? - પ્રત્યક્ષાદિ પ્રમાણે વડે વસ્તુઓને જાણનારે જીવ પ્રમાતા કહે વાય છે. પ્રત્યક્ષ, અનુમાન, શબ્દ, ઉપમાન, અર્થપત્તિ ને અનુપલબ્ધિ આ છ પ્રમાણના નામે છે. યથાર્થ જ્ઞાનનું સાધન તે પ્રમાણ કહેવાય છે. પ્રત્યક્ષાદિ પ્રમાણોનાં લક્ષણ અન્યત્ર વર્ણવ્યાં છે, તેથી તેમનાં લક્ષણ અહિં કહ્યાં નથી. પ્રમાણુવડે જે વસ્તુનું જ્ઞાન થાય છે તે વસ્તુ પ્રમેય કહેવાય છે. પ્રમાણુવડે થનારા યથાર્થ જ્ઞાનને પ્રમિતિ વા પ્રમા કહેવામાં આવે છે. આ ચારે જેના જ્ઞાનસ્વભાવવડે પ્રતીત થાય છે તે સ્વયંપ્રકાશ આત્માની જ્ઞાન માટે કયા પ્રમાણની અપેક્ષા છે ? એ ચારેને જે આત્મા પ્રકાશે છે તે આત્માના સદ્ભાવનું તથા જ્ઞાનસ્વભાવનું જ્ઞાન તે એ ચારે પદાર્થોની સાથેજ થઈ ગયું છે. જેમ સૂર્યના પ્રકાશન વડે પ્રકાશેલા અન્ય પદાર્થોના જ્ઞાન સાથે સૂર્યના સદ્ભાવનું તથા તેના પ્રકાશસ્વભાવનું જ્ઞાન થઈ જાય છે તેમ અહિં પણ સમજવું. ૩૩. ' પદાર્થના જ્ઞાનને પ્રાણનાર આત્મા છે એમ નિરૂપણ કરે છે –
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy