SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. જાગ્રત, સ્વપન ને સુષુપ્તિ એ અંતઃકરણની ત્રણ અવસ્થાઓ ભિન્ન ભિન્ન છે, પણ તે ત્રણે અવસ્થાઓનું જ્ઞાન ભિન્ન ભિન્ન નથી. જાગ્રતમાં શબ્દાદિ પાંચ વિષય ભિન્ન ભિન્ન છે, પણ તેમનું જ્ઞાન ભિન્ન નથી, સ્વમમાં શબ્દાદિ વિષયો ભિન્ન ભિન્ન છે, પણ તેમનું જ્ઞાન ભિન્નનથી, ને સુષુપ્તિમાં અજ્ઞાન ને સુખરૂપ વિષયો ભિન્ન ભિન્ન છે, પણ તેમનું જ્ઞાન ભિન્ન નથી. જાગ્રદાદિ ત્રણ અવસ્થાઓમાં, ચંદ્રાદિ વારોમાં, ગુલાદિ પામાં, કાર્તિકાદિ માસમાં, પ્રભવાદિ સંવત્સરોમાં, કૃતાદિ યુગમાં, તવારા હાદિ કલ્પોમાં, ને અનેક મહાકમાં ઉપાધિ. રહિત એટલે શુદ્ધ જ્ઞાન સર્વદા એકજ પ્રતીત થાય છે. પાપસંસ્કારોના બહુપણાથી જેમણે વિવેકાદિ તથા શ્રવણદિ સાધન સંપાદન કર્યું નથી એવા અભાગીઆ પુરુષો માયાથી પર રહેલા બ્રહ્મસ્વરૂપને જાણવા સમયે થતા નથી. ૩૧. એ આત્માને જાણનારા મુક્ત થાય છે એમ જણાવે છે – संकल्पसाक्षिणं ज्ञानं सर्वलोकैकजीवनम् । तदस्मीति च यो वेद स मुक्तो नात्र संशयः ॥ ३२ ॥ સવ પ્રાણીઓના મુખ્યજીવનરૂપ, જ્ઞાનસ્વભાવવાળા ને સંકલ્પના સાક્ષીને તે હું છું એમ જે પુરુષ જાણે છે તે મુક્ત છે એમાં સંશય નથી. શુદ્ધચેતન પ્રાણુના પણ પ્રાણરૂપ હોવાથી તે ચેતનને અહિં સર્વ પ્રાણધારી પ્રાણુઓના મુખ્ય જીવનરૂપ કહેલ છે. શુદ્ધચેતનને જ્ઞાનસ્વભાવ “ સત્ય જ્ઞાનમારત ત્ર ” છે ( બ્રહ્મ સત્ય, જ્ઞાન ને અનંત છે. ) ઈત્યાદિ ઋતિઓમાં ક છે. જે આત્મા વ ચેતનનો જ્ઞાનસ્વભાવ ન હોય તે આ જગતમાં કઈ પણ પ્રાણિપદાર્થનું જ્ઞાન થઈ શકે નહિ એ યુક્તિથી પણ આત્મા વા ચેતનનો જ્ઞાનસ્વભાવ , છે
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy