________________
શ્રીસદાચારસ્તોત્ર.
બંધક્ષના સ્વરૂપનું તથા તેના ઉપાદાનકારણનું નિરૂપણ કરે છે – अहं ममेत्ययं बन्धो ममाहं नेति मुक्तता । बन्धमोक्षौ गुणैर्भातः गुणाः प्रकृतिसंभवाः ॥ ३० ॥
હું ને મારું આ બંધ છે, ને હું ને મારું નહિ આ મુક્તપણું છે. તે બંધ ને મેક્ષ ગુણવડે પ્રતીત થાય છે, ને તે ગુણે પ્રકૃતિથી ઉપજેલા છે.
બ્રાહ્મદિ જાતિવાળું ને ગૃહસ્થાદિ આશ્રમવાળું શરીર હું છું, ને આ શરીર તથા આ શરીરના સંબંધવાળાં જે પ્રાણુઓ તથા ૫દાર્થો છે તે મારાં છે એમ માનવું આ બંધ છે; અને આ શરીર હું નથી, પણ અસંગ ને સચ્ચિદાનંદસ્વભાવવાળા અંતરાત્માથી અભિન્ન બ્રહ્મ હું છું, ને આ શરીર તથા આ શરીરના સંબંધવાળાં પ્રાણીઓ તથા પદાર્થો મારાં નથી, કેમકે હું સર્વથી સર્વદા અસંગ છું, એમ માનવું આ મુક્તપણે વા મેક્ષ છે. તે બંધ તથા મેક્ષ બુદ્ધિના અવિવેક અજ્ઞાન ને વિવેક વા જ્ઞાન એ ગુણો વડે પ્રતીત થાય છે. શુદ્ધ આત્મામાં વાસ્તવિક રીતે બંધ કે મોક્ષ કાંઈ નથી. બુદ્ધિ પ્રકૃતિનું કાર્ય હેવાથી એ બંને ગુણો પણ બુદ્ધિની સાથે પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયા છે. ૩૦. - મંદભાગ્યવાળા મનુષ્યો જ્ઞાનસ્વરૂપ બ્રહ્મને જાણી શકતા નથી એમ કહે છે – · ज्ञानमेकं सदा भाति सर्वावस्थासु निर्मलम् ।।
मंदभाग्या न जानन्ति स्वरूपं केवलं बृहत् ॥ ३१ ॥ | સર્વ અવસ્થામાં સર્વદા નિમલ જ્ઞાન એક પ્રતીત થાય છે. મંદભાગ્યવાળા પુરુષે કેવલ બ્રહ્મસ્વરૂપને જાણતા
નથી.