SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ ર. ૧૧ વાતમાં દુબળા છે. એક વેદાંતનું વિજ્ઞાન સ્વાનુભવવડે વિશેષ શોભે છે. વૈદિકકર્મોને ઉપદેશ કરનારા શ્રીજૈમિનિપ્રણીત પૂર્વમીમાંસાદર્શન નમાં વૈદિકકર્મોને જ વિચાર હોવાથી તેમાં જીવબ્રહ્મના અભેદના જ્ઞાનનું નિરૂપણ કયાંથી હોય ? શ્રીગૌતમપ્રણીત ન્યાયદર્શન ને શ્રીકણાદપ્રણત વૈશેષિકદર્શન યુક્તિપ્રધાન હોવાથી તે તર્કશાસ્ત્ર કહેવાય છે. તર્કની કઈ સ્થલે સ્થિરતા નથી, કેમકે બલવાન તર્કથી નિર્બલ તર્ક સર્વદા બાધ પામે છે. એવી રીતે તર્કમાં બ્રહ્મતત્ત્વનો નિશ્ચય નથી જ. શ્રીકપીલપ્રણીત સાંખ્યદર્શનમાં જીવોને ચેતનરૂપ કહેલા છે, અને શ્રીપતંજલિપ્રણીત યોગદર્શનમાં છે તથા શ્રી ઈશ્વરને ભિન્ન કહેલા છે. એ બંને દર્શનમાં છોનો પરસ્પર ભેદ તથા જીવોને ઈશ્વરથી ભેદ વર્ણવેલો હોવાથી એ બંને શા ભેદવાદને પ્રાપ્ત થયેલાં ગણાય છે. વ્યાકરણશાસ્ત્રના પરમાર્થની સાથે સંબંધ રાખનારા ભાગમાં પરમ તત્વનો સૂમવિચાર કર્યો નથી. શ્રીપાણિનિ આદિ સમર્થ વૈયાકરણોએ પ્રધાનપણે શબ્દોને જ વિચાર કર્યો છે. વ્યાકરણશાસ્ત્રના મતને માનનારા શાબ્દિકે કહેવાય છે. તેઓ શબ્દના વિચારમાં તત્પર છે, પણ બ્રહ્મના વિચારમાં તત્પર નથી. ચાર્વાકાદિ બીજા સર્વે પાખંડીઓ ( મોક્ષશાસ્ત્રને નહિ માનનારા તથા તે પ્રમાણે પ્રયત્ન નહિ કરનારા) બ્રહ્મજ્ઞાનસંબંધની વાતમાં નબળા છે. એક વેદાંતશાસ્ત્રનું સ્વાનુભવવાળું જ્ઞાન જ્ઞાનીઓના પિતાના અનુભવવડે અત્યંત શેભે છે. બીજું દર્શન બહુધા લોકાંતરમાં જવાથી દષ્ટ દુ:ખની નિવૃત્તિ ને પરમાનંદની પ્રાપ્તિ સાધકને થશે એમ કહે છે, ને વેદાંતશાસ્ત્ર તે યથાયોગ્ય યત્ન કરનારને દૃષ્ટ દુઃખની નિવૃત્તિ ને પરમાનંદની પ્રાપ્તિ અહિંજ અનુભવાય છે એમ કહે છે, એટલો અન્ય શાસ્ત્રોથી વેદાંતશાસ્ત્રને ભેદ છે. ૨૮-૨૯, " , ,
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy