________________
"
શ્રીસદાચારસ્તોત્ર.
તે બંનેની ચૈતન્યરૂપે એકતા કેવી રીતે છે તે કહે છે:-- कार्यकारणवाच्यांशो जीवेशौ यो जहच्च तौ। अजहञ्च तयोर्लक्ष्यौ चिदंशावेकरूपिणी ॥ २७ ॥
જીવ ને ઈશ્વરમાં જે કાર્ય ને કારણરૂપ વાગ્યને ભાગ છે તે બંને ત્યજી દેવાથી ને બંનેના લક્ષ્યભાગને નહિ ત્યજી દેવાથી તે બંનેના ચેતનરૂપ અંશે એકરૂપવાળા છે.
છવમાં વ્યષ્ટિઅવિદ્યા ને તેના ધરૂપ વા અંતઃકરણ ને તેના ધરૂપ વાને ભાગ છે, ને ઈશ્વરમાં માયા ને તેને ધમૅરૂપ વા
અને ભાગ છે. જીવ તથા ઈશ્વરમાંથી એ બંને વચ્ચેના ભાગો ત્યજી દેવાથી અવશેષ રહેલા ચેતનરૂપ ભાગે જે તે બંનેના લક્ષ્યરૂપ છે, તેનો ત્યાગ ન કરવાથી તે બંને ચેતનના અંશે એકરૂપવાળા છે. બંને ચેતન સચ્ચિદાનંદસ્વભાવવાળાં હોવાથી તે બંનેમાં કાંઈ પણ ભેદ નથી. જેમ ઘડારૂપ ને મઠરૂપ ઉપાધિ દૂર કરતાં ઘટાકાશ ને મઠાકાશ મહાકાશપ થઈ જાય છે, ને સેવક તથા રાજાની ઉપાધિ દૂર કરતાં તે બંને 'મનુષ્યરૂપ પ્રતીત થાય છે, તેમ છવ તથા ઈશ્વરના ઉપાધિનો ત્યાગ કરતાં તે બંને ચેતનરૂપે રહે છે. ર૭.
અન્ય શાસ્ત્રોથી વેદાંતનું શ્રેષપણું વર્ણવે છે – कर्मशास्त्रे कुतो ज्ञानं तर्के नैवास्ति निश्चयः।
सांख्ययोगौ भिदापन्नौ शाब्दिकाः शब्दतत्पराः ॥ २८ ॥ - अन्ये पाखंडिनः सर्वे ज्ञानवार्तासु दुर्बलाः ।
एकं वेदान्तविज्ञानं स्वानुभूत्या विराजते ॥ २९ ॥
કર્મશાસ્ત્રમાં જ્ઞાન કયાંથી? તમાં નિશ્ચય નથી જ. સાંખ્ય ને પેગ ભેદને પ્રાપ્ત થયાં છે. શબ્દશાસ્ત્રને માનનારા શબ્દમાં તત્પર છે. બીજા સવે પાખંડીએ જ્ઞાનની