SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ ર. ' થવા મ નાઈ કરે છે અર્થશા વિનાનાતિ સ વાર્થ પર સૂતા એ રૂ II વૃત્તિ વસ્તુને આકારે થાય છે, ચિદાભાસવડે વરતુ પ્રકાશે છે, ને વસ્તુના જ્ઞાનને જે પ્રકાશે છે તેજ વસ્તુ શ્રેષ્ઠ કહી છે. અંતઃકરણની વૃત્તિ નેત્રાદિકારા નીકળી પદાર્થ ઉપરના આવરણને ભંગ કરી પ્રકાશાદિના સાહાથવડે તે પદાર્થને આકારે થાય છે. જેમ કાઠામાં ભરેલું પાણી નળદ્વારા જઈને કયારાને આકારે થાય છે તેમ. પદાર્થ જડ છે, ને વૃત્તિ પણ જડ છે, તેથી તે વૃત્તિ તે પદાર્થને પ્રકાશી શકતી નથી. તે વૃત્તિના અગ્રભાગમાં રહેલું ચેતનનું પ્રિતિબિંબ જેને ચિદાભાસ વ ફલ કહેવામાં આવે છે તે પદાર્થને પ્રકાશે છે, અર્થાત આ અમુક પદાર્થ છે એવું જ્ઞાન અંતઃકરણમાં ઉપજાવે છે. આ અમુક પદાર્થ છે તેને મેં જાણો એવું જ્ઞાન ઉપજ્યા વિના માત્ર તે પદાર્થનું જ્ઞાન મનુષ્યની પ્રવૃત્તિનિવૃત્તિમાં હેતુ થઈ શકતું નથી, માટે તે પદાર્થના જ્ઞાનને પ્રકાશનાર કોઈ અન્ય વસ્તુ હેવી જોઈએ. આ અમુક પદાર્થને મેં જાણ્યો એમ પદા ના જ્ઞાનને જે વસ્તુ સારી રીતે પ્રકાશે છે તે વસ્તુ એટલે આત્મા વા શુદ્ધચેતન જ સર્વથી શ્રેષ્ઠ છે એમ વેદતિમાં કહ્યું છે. ૩૪. તે જડ પદાર્થના જ્ઞાનમાં વૃત્તિના ને ચિદાભાસના વ્યાપારની અગત્ય છે, પણ ચેતનરૂપ આત્માના જ્ઞાનમાં તો માત્ર વૃત્તિનો જ ઉપયોગ છે એમ પ્રતિપાદન કરી બતાવે છે – वृत्तिव्याप्यत्वमेवास्तु फलव्याप्तिः कथं भवेत् । स्वप्रकाशवरूपत्वात् सिद्धत्वाञ्च चिदात्मनः ॥ ३५ ॥
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy