________________
૮૨
રહ્યા પણ ભોગવનારી ઇન્દ્રિયો જ આખરે ક્ષીણ થઈ ગઈ છે. શરીર નિર્બળ બની ચૂક્યું છે. જે દાંત દ્વારા ખોરાકના ચૂરેચૂરા કર્યા હતા, અંતે તે દાંતે જ સર્વેસર્વા મુખગુહામાંથી વિદાય લીધી. અન્નને જીવનભર ખાનારા આપણે જ અન્ન વડે ખવાઈ ગયા પરંતુ જીંદગીભર વિષયોની પકડમાંથી, વિષયો પ્રત્યેના રાગમાંથી કે વિષયવાસનાની આસક્તિથી વિમુક્ત થયાં નહીં. વિષયસુખ માણનારા આપણી દશા પેલા કૂતરા જેવી છે. સૂકાં હાડકાંનો ટુકડો લઈને પેલો કૂતરો ઝાડની ઓથે જાય છે. કોઈ તે છીનવીને લઈ ન જાય તેવા હેતુથી સંતાઈને હાડકું ચાવે છે. સૂકા હાડકાંમાં ખાવા યોગ્ય માંસનો કણ કે લોહીનું એક ટીપું પણ નથી. છતાંય કૂતરો પ્રેમપૂર્વક, બળપૂર્વક તેને ચાવે છે. આમ થતાં તેના પોતાના તાળવામાંથી જ લોહી નીકળે છે. લોહીનો સ્વાદ આવવાથી તે કૂતરું તેને વધુ બળપૂર્વક ચાવે છે અને ખોરાક મળ્યાનો આનંદ માણે છે. લોહીના સ્વાદથી તે હરખાય છે અને માને છે કે લોહી હાડકામાંથી આવે છે. જેમ જેમ લોહીનો મધુર સ્વાદ માણતો જાય છે તેમ તેમ હાડકું વધુને વધુ ચાવે છે, ચૂસે છે પરંતુ એ કૂતરાને ખબર નથી કે પોતે સ્વયંનું જ લોહી ચૂસી રહ્યો છે. વિષયભોગમાં સુખ માણનારા આપણી સ્થિતિ પણ પેલા કૂતરા જેવી જ છે. ઇન્દ્રિયો દ્વારા વિષયો ભોગવાય છે તેવું સમજનારા આપણને ખ્યાલ નથી કે આપણી ઇન્દ્રિયો જ ધીમે ધીમે ક્ષીણ થતી જાય છે. આજકાલ વધી રહેલા T.V.ના ઉપયોગને લીધે આંખો નબળી પડી જાય છે.આ સંદર્ભે આધુનિક વિજ્ઞાને તો અનુમાન પણ કર્યું છે કે, આજથી સાતમી પેઢી જન્મથી જ નબળી આંખોવાળી હશે તેથી તેઓને જન્મથી જ ચશ્મા પહેરવા પડશે. વધુ પડતો ઘોંઘાટ કાનની બહેરાશ લાવે છે. રોશની માટે કરવામાં આવતી લાઈટોનો ઝગમગા૨ો આંખો ઉપર અસ૨ ક૨શે. આમ વધુ પડતાં ભોગો ઇન્દ્રિયો, શરીર તથા મન ઉપર અસર પહોંચાડે છે. તેથી વિષયભોગથી દૂર રહેવા માટે ભતૃહિર મહારાજ સ્પષ્ટતા કરતા જણાવે છે કે, મોજે રોજ મયમ્ ।' (વૈરાગ્યશતક) ‘ભોગોમાં રોગનો ભય રહેલો છે.’
ક્ષણિકસુખનો આભાસ જન્માવનારા વિષયોના ભોગો આપણી