SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ (છંદ-અનુષ્ટુપ) विरज्य विषयव्राताद् दोषदृष्ट्या मुहुर्मुहुः ॥२२॥ स्वलक्ष्ये नियतावस्था मनसः शम उच्यते । મુરુઃ મુહુઃ = વારંવાર રોષપૃષ્ટા = દોષદષ્ટિથી વિષયવ્રાત્તાત્= વિષયોના સમૂહથી – વૈરાગ્ય પામીને विरज्य मनसः મનની ૭૯ = स्वलक्ष्ये પોતાના લક્ષ્યમાં = (અધિષ્ઠાનરૂપ બ્રહ્મમાં) નિયતાવસ્થા = (જે) નિરંતર સ્થિતિ (તે) શમ કહેવાય છે. શમ: उच्यते = શમ અધ્યાત્મના પંથે પ્રસ્થાન કરવા તત્પર થયેલા સાધકને અધિકાર બક્ષતા ચાર સાધનોમાંના ત્રીજા સાધન ‘ષટ્કપત્તિ’ના પ્રથમ અંગ ‘શમ’ વિશે સમજાવતાં અત્રે જગદ્ગુરુ શંકરાચાર્યજી જણાવે છે કે, ઇન્દ્રિયોના વિષયોમાં વારંવાર દોષદર્શન કરી, તે વડે વિષયોના સમૂહમાંથી વૈરાગ્ય પામી તે વિરક્ત મનને પ્રયત્નપૂર્વક પોતાના લક્ષ્યમાં સ્થાપવાથી પ્રાપ્ત થતી મનની નિશ્ચળ સ્થિતિને કે તેવી મનની સંયમી સ્થિતિને ‘શમ' કહેવાય છે. અન્ય અર્થમાં ‘મન’ ઉપર નિયંત્રણ કે કાબુ મેળવવાની ક્રિયાને ‘શમ’ કહે છે. ‘શમ’ કેળવવા માટે મન ઉપર કાબુ લાવવો જરૂરી છે. પરંતુ પ્રશ્ન એ થાય છે કે મનને નિયંત્રણમાં લાવવું કઈ રીતે? આ સમસ્યાનો સુંદર ઉકેલ આપતાં અત્રે જણાવ્યું છે કે, ‘મુર્મુદ્દુ: વોષટ્ટયા ’ અર્થાત્ ઇન્દ્રિયોના વિષયોમાં વારંવાર દોષદર્શન ક૨વાથી મન, વિષયો પ્રત્યે વૈરાગ્ય કેળવે છે. તેવા દોષદર્શનથી વિષયોમાં રહેલી આસક્તિ, રાગ કે આકર્ષણ છૂટી જાય છે.તેમ થવાથી મન ચંચળતા છોડી નિશ્ચલતત્ત્વમાં સ્થિતિ પ્રાપ્ત કરે છે. મનની આવી સ્થિર અવસ્થાને જ ‘શમ' કહે છે. વિષયોમાં દોષદર્શન કરવું અર્થાત્ જે જે પદાર્થો પ્રત્યે આકર્ષણ જણાય, જ્યાં જ્યાં સુખનો આભાસ વર્તાય, જે જે વસ્તુ પ્રત્યે ખેંચાણ
SR No.006073
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorTadrupanand Swami
PublisherManan Abhyas Mandal
Publication Year1995
Total Pages858
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy