SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ पुरुषः = પુરુષ = ૬૬ विवेकिनः વિવેકયુક્ત विरक्तस्य વૈરાગ્યવાન શમાવિનુશાન્તિનઃ = શમ, દમ વગેરે છ સંપત્તિવાળો (તથા) મુમુક્ષોઃ મોક્ષની ઇચ્છાવાળો હોય = आत्मविद्यायाम् अधिकारी (છંદ-અનુષ્ટુપ) विवेकिनो विरक्तस्य शमादिगुणशालिनः । मुमुक्षोरेव हि ब्रह्मजिज्ञासा योग्यता मता ॥ १७॥ . = આત્મવિદ્યામાં અધિકારી (છે.) યોગ્યતા મા = एव हि = તેની જ બ્રહ્મનિજ્ઞાસા = બ્રહ્મનો – = = વિચાર કરવામાં યોગ્યતા માની છે. મેધાવી અર્થાત્ ગ્રહણશક્તિવાળો. આત્મતત્ત્વના જિજ્ઞાસુનું પાત્ર ગ્રહણ કરે તેવું હોવું જોઈએ. લખતાં લખતાં અચાનક શાહી ઢોળાઈ જાય ત્યારે શાહી ચૂસવા માટે આપણે ગમે તે કાગળ શાહી ઉપર ન મૂકતા, શાહીંચૂસ કાગળ જ મૂકીએ છીએ. કારણ કે શાહીચૂસ કાગળ જ શાહીને સારી રીતે ચૂસી લે છે, અન્ય કાગળ નહીં. તેવી જ રીતે, જે કંઈ ઉપદેશ આપવામાં આવે, તેને સારી રીતે ગ્રહણ કરી અને ધારણ કરે, એવી જેની મેધા હોય, તેને અત્રે મેધાવી કહ્યો છે. મેધા એટલે એવી બુદ્ધિ કે જે નિત્યને ગ્રહણ કરે અને અનિત્યને છોડી દે, સત્યને ગ્રહણ કરે અને અસત્યને છોડી દે, ચેતનને પકડી લે અને જડનો ત્યાગ કરે. કુતર્ક ક૨ના૨ને અત્રે મેધાવી કહ્યો નથી પણ જે શાસ્ત્રસંમત તર્ક કરે તે મેધાવી છે. હાપોહ વિવક્ષળઃ અર્થાત્ તર્ક કરવામાં કુશળ, આત્મવિધાનો અધિકારી તાર્કિક વિચારણા કરનારો હોવો જોઈએ. આ ઉપરાંત શાસ્ત્ર જે જે લક્ષણો કહ્યાં છે, એવાં લક્ષણો જેનામાં હોય તે આ જ્ઞાન માટેનો અધિકારી છે. જેની પાસે વિવેક હોય, વૈરાગ્ય હોય, પસંપત્તિ હોય અને મોક્ષ પ્રાપ્ત કરવાની અદમ્ય ઇચ્છા હોય, તે મોક્ષ પ્રાપ્ત કરવાનો અધિકારી
SR No.006073
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorTadrupanand Swami
PublisherManan Abhyas Mandal
Publication Year1995
Total Pages858
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy