________________
૬૫
સૂર્તવ્ય: =
કરવો જોઈએ.
માત્મવસ્તુનઃ = આત્મતત્ત્વનો વિવાર: = વિચાર
દેશ, કાળ વગેરે સહયકારી ઉપાયો છે, છતાં મોક્ષરૂપી ફળની પ્રાપ્તિ મુખ્યત્વે અધિકારીની અપેક્ષા રાખે છે. માટે જેને પરમપુરુષાર્થની પ્રાપ્તિ કરવી હોય, તેણે પૂર્વોક્ત ઉપાયોમાં આસક્ત ન થતાં, ઉપાયોનો ઉપયોગ કરી અધિકારી બનવાનો પ્રયત્ન કરવો જોઈએ. કર્મ વગેરે ઉપાયોથી માત્ર ચિત્તશુદ્ધિરૂપી ફળ જ મળે છે, મોક્ષ કે મુક્તિ મળતી નથી માટે શંકરાચાર્યજી કહે છે કે મતઃ વિવાર: ર્તવ્યઃ જિજ્ઞાસોરાત્મવસ્તુનઃ ! “માટે જિજ્ઞાસુએ આત્મજ્ઞાનનો વિચાર કરવો જોઈએ.” કોઈ પણ કર્મથી આત્મતત્ત્વનું જ્ઞાન થઈ શકે તેમ નથી માટે જેણે ખરેખર આત્મસ્વરૂપને જાણીને મુક્ત થવું છે તેણે વિચાર જ કરવો જોઈએ. વિચાર તો આપણે નિરંતર કરતાં હોઈએ છીએ પરંતુ તેવા વિચારથી કંઈ સ્વરૂપનું જ્ઞાન થઈ શકે તેમ નથી. સ્વરૂપને જાણવા માટે આત્મવિચાર કરવો પડે અને આત્મવિચાર કરવા માટે બ્રહ્મવેત્તા ગુરુનું માર્ગદર્શન જોઈએ. આ કારણથી જ અત્રે કહેવાયું છે કે તમારા લયાસિંધુ બ્રહ્મવિદ્યુમન્ ! “આત્મતત્ત્વના જિજ્ઞાસુએ દયાના સાગર એવા ઉત્તમ બ્રહ્મવેત્તા ગુરુના શરણે જઈ, પ્રારંભમાં તેમના સાંનિધ્યમાં રહી તેમના માર્ગદર્શન પ્રમાણે આત્મવિચાર કરવો જોઈએ.” ચિત્તશુદ્ધિના અનેક રસ્તાઓ હોઈ શકે પરંતુ જ્ઞાનપ્રાપ્તિનો આ એક માત્ર રસ્તો છે. આત્મવિચાર સિવાય ગમે તેટલા ઉપાયો કરવા છતાં, ગમે તેટલો પુરુષાર્થ કરવા છતાં, અજ્ઞાનની લેશ માત્ર નિવૃત્તિ કે જ્ઞાનની પ્રાપ્તિ શક્ય નથી.
| (છંદ-અનુષ્ટ્રપ) - मेधावी पुरुषो विद्वानूहापोहविचक्षणः ।
अधिकार्यात्मविद्यायामुक्तलक्षणलक्षितः ॥१६॥ મેઘાવી = બુદ્ધિíળી ઉવત્ત- = (શાસ્ત્ર) કહેલાં હાપોહવિક્ષ: = (શ્રુતિ-સ્મૃતિ- તક્ષણક્ષેતઃ = લક્ષણોવાળો
માન્ય) તર્ક-વિતર્કમાં ચતુર વિદ્વાન = વિદ્વાન