________________
૬૪
સમજવા માટે ઉપાય છે. ઉપાય સમજીને વર્ષો પૂર્વે આપણે સાકારની પૂજા શરૂ કરી હતી, હવે જો નિરાકાર આત્મસ્વરૂપ સમજાયું હોય તો આપણે તેમાંથી મુક્ત થવું જોઈએ. હવે સાકારની ઉપાસના છોડી નિરાકારના ચિંતન માટે આગળ વધવું જોઈએ, સગુણની ઉપાસના છોડી નિર્ગુણના નિદિધ્યાસન માટે પ્રયત્ન કરવો જોઈએ. સગુણનો સહારો લઈને નિર્ગુણમાં પ્રવેશ મળી ગયો હોય, છતાં જેઓ નિર્ગુણમાં પ્રવેશવા ન માગતા હોય કારણ કે સગુણમાં આસક્તિ થઈ ગઈ છે તો તેવા આસક્ત લોકો, ઉપાયનો ઉપયોગ કરવાનું જાણતા નથી. જેને ખરેખર મુક્તિ જોઈતી હોય તેણે સગુણ-સાકારને ઉપાય તરીકે સમજીને, એક સમયે છોડી દેવા જોઈએ. ઉપાયનો ઉપયોગ કર્યા પછી તેને છોડી દેવામાં કોઈનું કંઈ જ અનિષ્ટ થતું નથી, જરાયે પાપ લાગતું નથી. ઉપાય કરતાં કરતાં ઉપાયમાં આસક્ત થઈ ગયા હોઈએ અને તેને છોડવાનું મન ન થાય, તો તે અજ્ઞાનીની દશા છે. તેઓ ઉપાયને ઉપાસ્ય સમજી બેઠા છે અને સાધનને સાધ્ય માની બેઠા છે. આ અજ્ઞાનીની જ વિચારધારા છે. તાત્પર્ય એ છે કે અનામીને સમજવા નામસ્મરણરૂપી કે મંત્રજપરૂપી ઉપાયનો ઉપયોગ કર્યો હોય અને પછી જો અનામીની સમજ આવી જાય, તો તે ઉપાય છોડી શકાય તેમ છે. સગુણ-સાકારમૂર્તિઓનો સહારો લીધો હોય અને પછી જો નિરાકાર તત્ત્વની સમજ આવી જાય તો સગુણ-સાકારની ઉપાસના છોડી શકાય તેમ છે. દેશ, કાળ, કર્મ, મૂર્તિપૂજા, મંત્રજપ આદિ ઉપાયો છે, એવા ઉપાયો દ્વારા અધિકાર પ્રાપ્ત કરીને, મોક્ષરૂપી ફળ લેવા માટે જે આગળ વધે છે એ જ ખરેખર અધ્યાત્મપંથનો સાચો અધિકારી છે.
(છંદ-અનુષ્ટ્રપ) अतो विचारः कर्तव्यो जिज्ञासोरात्मवस्तुनः ।
समासाद्य दयासिन्धुं गुरुं ब्रह्मविदुत्तमम् ।।१५।। મત: = એટલા માટે ગુરુમ્ = ગુરુને વયાસિમ = દયાના સાગર સમાસા = શરણે જઈને બ્રહ્મવિહુરામ+ = ઉત્તમ બ્રહ્મવેત્તા નિજ્ઞાસો: = જીજ્ઞાસુએ