SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ઊડી શકે નહીં. વિમાનને આકાશમાં ઊડવું હોય તો રનવે છોડવો જ પડે. દષ્ટાંતમાં રનવેને વિમાન માટે ‘ઉપાય' કહેવાય કારણ કે તેનો ઉપયોગ કરી છોડી દેવાનો છે. રોગ મટાડવામાં દવા કે ઔષધિ ઉપાય કહેવાય. દવાની જરૂર હોય ત્યાં સુધી દવા લેવી જોઈએ, પરંતુ દવાના ઉપયોગથી સારું થઈ ગયા પછી દવા છોડી દેવી જોઈએ. આ પ્રમાણે જે દવાનો ઉપયોગ કરે તેણે દવાને ‘ઉપાય' સમજીને ઉપયોગ કર્યો કહેવાય. શંકરાચાર્યજી કહે છે કે દેશવાનાધા: ૩પાયા: ‘દેશ, કાળ, કર્મ, પૂજાપાઠ વગેરે ઉપાયો છે માટે તેનો ઉપાય સમજીને ઉપયોગ કરવો જોઈએ. દેશ, કાળ વગેરે સહાયકારી ઉપાયો છે એવું આપણે સ્પષ્ટપણે જાણવું જોઈએ, જેથી તેનો યોગ્ય ઉપયોગ કરી શકાય અને ઉપયોગ કર્યા પછી છોડી શકાય. શરૂઆતમાં મન અપરિપક્વ હોય ત્યારે સાધના માટે અનુકૂળ દેશમાં જવું જોઈએ, ભૌતિક એકાંત પ્રાપ્ત કરીને ત્યાં રહેવું જોઈએ કારણ કે શરૂઆતમાં નવોદિત સાધકને ભૌતિક એકાંતની પણ જરૂર છે. પરંતુ જ્યારે જીવ અને બ્રહ્મનું ઐક્ય સમજાઈ જાય પછી કાયમ માટે એકાંત દેશમાં રહેવાની જરૂર નથી. શરૂઆતમાં એકાંત જરૂરી હતું માટે એકાંતમાં જઈ એકાંત દેશનો ઉપયોગ કર્યો અને પછી છોડી દીધો. તે જ પ્રમાણે શરૂઆતમાં સાધકે બ્રહ્મમુહૂર્તમાં ઊઠીને મનન વગેરે કરવું જ જોઈએ, કારણ કે મનન-ચિંતન માટે તે કાળ સારો ગણાય. પરંતુ હવે જો તે સમયનો સદુપયોગ કરી, જાણવાનું હતું તે જાણી લીધું હોય, તો કાયમ તેમ કરવું અનિવાર્ય નથી. જ્ઞાનપ્રાપ્તિ માટે અંતઃકરણની શુદ્ધિ આવશ્યક છે માટે અંતઃકરણની શુદ્ધિ માટે નિષ્કામકર્મરૂપી ઉપાય કરવો જોઈએ. ત્યારબાદ જો નિષ્કામકર્મ દ્વારા અંતઃકરણની શુદ્ધિ મેળવી લીધી હોય, તો હવે કર્મનો ભાર ઉપાડવાની જરૂર નથી. કર્મનો ઉપાય તરીકે ઉપયોગ કર્યા પછી, અમુક સમયે કર્મોને છોડી દેવાં જોઈએ. કર્મનો ઉપયોગ થઈ ગયા પછી કર્મસંન્યાસ થવો જ જોઈએ, આ જ કર્મની “ઉપાય તરીકેની સાચી સમજ છે. મૂર્તિપૂજા વગેરે, સાકારની ઉપાસના પણ નિરાકાર આત્માને
SR No.006073
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorTadrupanand Swami
PublisherManan Abhyas Mandal
Publication Year1995
Total Pages858
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy