________________
વ્યકિતની પાત્રતા પર રહે છે. જેવું જેનું પાત્ર તેવી તેની ગ્રાહકતા. કેટલાકનું પાત્ર સીધું હોય અને કેટલાકનું પાત્ર ઊંધુ હોય છે. સીધું પાત્ર તેને કહેવાય જેનામાં શરણાગતિ હોય, શિષ્યભાવ હોય. મનમાં શિષ્ય બનવાની તાલાવેલી હોય, તત્પરતા હોય તો પાત્ર સીધું છે એમ જાણવું. પરંતુ જેમને ગુરુ કે સંતના ચરણમાં અહંકાર ઝુકાવવો નથી, જેઓ ગુરુની પરીક્ષા કરવા કે ગુરુનું માપ કાઢવા અહંકારી થઈને આવે છે તેમનું પાત્ર ઊંધુ સમજવું. ઊંધા પાત્રમાં ગમે તેટલું નાંખીએ છતાં પાત્ર ખાલી જ રહે છે. જેટલા સીધાં પાત્રવાળા છે તેમાં પણ કોઈનું પાત્ર કાણાવાળું હોય તો કોઈનું પાત્ર કાણાં વગરનું હોય છે. જે પાત્રમાં શંકા અને સંદેહના કાણાં હોય તે પાત્રમાં ભરાય ખરું પણ ટકતું નથી. જેમનું કાણાવાળું પાત્ર છે. તેમને અંદરથી શંકા થયા કરે છે કે, “મારા જેવાને કંઈ આત્મસાક્ષાત્કાર થાય? શાસ્ત્રો તો હજારો વર્ષ પુરાણા છે, તે વખતે કદાચ સાચા હશે પણ અત્યારે આધુનિક યુગમાં શાસ્ત્રોને સાચાં માનવા કે ખોટાં? શું આ સંતો બધું સાચું કહેતા હશે કે અડધાં ગપ્પાં?” આવી શંકાઓ ઉદ્ભવે તો વિચારવું કે ઘણી બાબતો એવી છે જે યુગો પહેલાં હતી, અત્યારે છે અને ભવિષ્યમાં પણ તેવી જ રહેવાની છે. શાસ્ત્રોમાં પ્રતિપાદિત કરેલું સત્ય કાળથી પર છે. માટે શાસ્ત્રોની સત્યતામાં શંકા થાય તો સમજવું કે દોષ શાસ્ત્રોમાં નથી પરંતુ આપણા પાત્રમાં કાણું હોવું જોઈએ. જે પાત્રમાં આવી શંકાઓ રૂપી કાણાં ન હોય તે પાત્રને ગ્રાહકતાવાળું પાત્ર કહેવાય. જો આપણું પાત્ર સીધું અને કાણાં વગરનું હોય તો આપણો જ્ઞાનમાં કંઈક અધિકાર છે એવું કહી શકાય.
उपायाः देशकालाद्याः सन्त्यस्यां सहकारिणः ।
દેશ, કાળ આદિ ઉપાયો પણ જ્ઞાનપ્રાપ્તિમાં સહાયકારી બને છે.” જેનો સાધન તરીકે ઉપયોગ થાય અને ઉપયોગ થઈ ગયા પછી જેને છોડી દેવામાં આવે તેને ઉપાય કહેવાય. એરોપ્લેનને આકાશમાં જવા માટે રનની જરૂર પડે છે. રનવે વિના વિમાન આકાશમાં ઊડી શકે નહીં. રનવે પર દોડવાથી વિમાનમાં ઊડવા માટે પૂરતી ગતિ આવી જાય, પછી વિમાને રનનો ત્યાગ કરવો જોઈએ. હવે જો વિમાન રનવે ન છોડે તો તે આકાશમાં