SearchBrowseAboutContactDonate
Page Preview
Page 808
Loading...
Download File
Download File
Page Text
________________ निरपेक्षकम् तद्वत् अस्य ब्रह्मविदः अपि अहं ब्रह्म इति वेदनम् = = = = = ૭૯૧ કોઈ અપેક્ષા વગરનું છે. તેવી રીતે આ બ્રહ્મજ્ઞાનીને પણ ‘હું બ્રહ્મ છું’ એવું જ્ઞાન (નિરપેક્ષ છે.) જેવી રીતે ઘડાને જાણવા બુદ્ધિની ઘટકાર વૃત્તિ પ્રમાણ મનાય છે તે જ પ્રમાણે સૂક્ષ્મ બુદ્ધિ દ્વારા આત્મતત્ત્વ જાણી શકાય છે માટે સૂક્ષ્મ બુદ્ધિ આત્મજ્ઞાન માટે શ્રુતિજન્ય પ્રમાણ છે. " दृश्यते त्वग्र्यया बुद्ध्या सूक्ष्मया सूक्ष्मदर्शीभिः । " (કઠોપનિષદ-૧/૩/૧૨) ‘‘સૂક્ષ્મ તત્ત્વને જોનારા પુરુષોથી જ સ્વયંની તીવ્ર અને સૂક્ષ્મ બુદ્ધિથી જ (આ આત્મા) જોઈ શકાય છે.’’ તેમ છતાં જ્યારે આત્મતત્ત્વનું અભેદજ્ઞાન થાય છે ત્યારે ત્યાં ન તો સૂક્ષ્મ બુદ્ધિ હોય છે કે ન તો શુદ્ધ મન હોય છે. જ્ઞાનકાળે તો જ્ઞાન, જ્ઞાતા અને જ્ઞેયની ત્રિપુટીનો બાધ થાય છે. આમ મન, બુદ્ધિ અને ઉપરોક્ત જ્ઞાનાદિ ત્રિપુટીના અભાવમાં પણ આત્મા પોતે જ પોતા દ્વારા પ્રકાશે છે કારણ કે આત્મા નિત્ય સિદ્ધ અને સ્વયંપ્રકાશિત હોવાથી તેને બુદ્ધિ આદિ પ્રમાણોની અપેક્ષા પોતાને સિદ્ધ કરવા માટે હોતી નથી. તેથી જ અત્રે સ્પષ્ટ કર્યું છે કે આત્માની સિદ્ધિ માટે કે આત્માને પ્રગટ થવા માટે દેશ-કાળના કોઈ નિયમોની, શ૨ી૨શુદ્ધિની અપેક્ષા રહેતી નથી. કારણ કે આત્મા તો સાધનનિરપેક્ષ જ જાણી શકાય છે. જે કંઈ સાધન દ્વારા સાધ્ય થાય તે કદાપિ નિત્ય હોઈ શકે નહીં, કારણ કે ‘જે કંઈ સાધ્ય છે તે સર્વ અનિત્ય હોય છે.” “યત્ સાધ્યું તત્ મનિત્યં વૃત્તિ ।” વાસ્તવમાં તો આત્મા દેશ-કાળમાં થતાં પ્રયત્નથી કે સાધનની મર્દદથી ઉત્પન્ન થતો નથી કે પ્રાપ્ત કરી શકાતો નથી. આત્મા તો પ્રાપ્ત જ છે, સ્વયંસિદ્ધ જ છે. પ્રયત્ન કે સાધન તો માત્ર અજ્ઞાનનું આવરણ નિવૃત્ત કરવા માટે જ વપરાય છે. આત્માની સાબિતી માટે કે
SR No.006073
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorTadrupanand Swami
PublisherManan Abhyas Mandal
Publication Year1995
Total Pages858
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy