SearchBrowseAboutContactDonate
Page Preview
Page 807
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૯૦ જીવન્મુક્તોએ કર્તવ્ય કર્મ કર્યું છે. માટે જ ભક્ત પ્રહ્નાદે પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું અને ધર્મવિરોધી નિયમોની પરવા કર્યા વિના પરમાત્માના અમર સામ્રાજ્યમાં પોતાની ભક્તિ અભયતાથી ચાલુ રાખી. રામભક્ત વિભીષણે પાપી ભાઈનો અનાદર કર્યો અને ભગવાન રામના લઘુ બંધુ ભરતે માતાનો ત્યાગ કરવામાં કોઈ પણ નિયમની પરવા ન કરી. તે જ પ્રમાણે જ્ઞાની ભક્ત મીરાંએ પતિનો ત્યાગ કર્યો. આવા કોઈ પણ જ્ઞાની ભક્તોને આશ્રમ અને વર્ણના નિયમોનો અવરોધ જણાયો નથી. તો પછી આત્મસાક્ષાત્કાર કરેલા જીવન્મુક્તને તો આત્માની અપરોક્ષાનુભૂતિ પછી કયો નિયમ શા માટે કોઈ પણ કર્મ કરતાં રોકે, ટોકે કે અટકાવે અને જેને પ્રાપ્ત કરવાનું સર્વ કાંઈ આત્મપ્રાપ્તિમાં પ્રાપ્ત થઈ ચૂક્યું હોય, તો પછી તેવા કૃતકૃત્યને હવે શું પ્રાપ્ત કરવા કેવા નિયમની અપેક્ષા બચે? | (છંદ-અનુષ્ટ્રપ) अयमात्मा नित्यसिद्धः प्रमाणे सति भासते । न देशं नाऽपि वा कालं न शुद्धिं वाऽप्यपेक्षते ॥५३२॥ . प्रमाणे सति = (સૂક્ષ્મ બુદ્ધિ) પ્રમાણના હોવાથી નિત્યસિદ્ધ કર્યું માત્મા = નિત્ય સિદ્ધ આ આત્મા भासते = જણાય છે ન દેશ ન સપિ વાનમ્ = (તે માટે) દેશની, કાળની શુદ્ધિ વાપિ અપેક્ષ = કે શુદ્ધિની પણ અપેક્ષા રહેતી નથી. | (છંદ-અનુષ્ટ્રપ) देवदत्तोऽहमित्येतद् विज्ञानं निरपेक्षकम् । तद्वद्ब्रह्मविदोऽप्यस्य ब्रह्माहमिति वेदनम् ॥५३३॥ મર્દ દેવવત્તઃ તિ = (જેમ) હું દેવદત્ત છું એવું તત્ વિજ્ઞાનમ્ = આ જ્ઞાન
SR No.006073
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorTadrupanand Swami
PublisherManan Abhyas Mandal
Publication Year1995
Total Pages858
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy