________________
७६७
अहो
= (તેમ) આશ્ચર્ય છે કે देहेन्द्रियमनोधर्माः
= શરીર, ઇન્દ્રિયો અને મનના
ધર્મો अविकारं उदासीनम्
= અવિકારી અને ઉદાસીનવત आत्मानं न एव स्पृशन्ति = આત્માને સ્પર્શ કરતા જ નથી.
જેવી રીતે મનુષ્યનો પડછાયો ઠંડા પાણીમાં પડવાથી મનુષ્ય સંકોચાતો નથી કે ઠંડક અનુભવતો નથી તથા પડછાયો જો ગરમીના દિવસોમાં તપેલી સડક ઉપર પડે તો મનુષ્ય દાઝતો નથી તેવી રીતે ગંદી ગટરમાં પડછાયો પડવાથી ન તો મનુષ્ય ગંદો થાય છે કે ચંદનના લાકડાં ઉપર પડવાથી મનુષ્ય ન તો સુગંધિત બને છે કારણ કે મનુષ્ય પડછાયાથી વિલક્ષણ તથા તેનો સાક્ષી છે. તેથી મનુષ્યને તો પડછાયાનો સ્પર્શ પણ નથી. જો પડછાયામાં થતા ફેરફાર મનુષ્યને લાગુ પડતા હોય તો તો પ્રાત:કાળે અને સંધ્યા ટાણે સૂર્યના કિરણો ત્રાંસા પડવાથી પડછાયો ખૂબ લાંબો થાય છે અને તે જ પડછાયો ભર બપોરે સૂર્ય માથે હોય ત્યારે ટૂંકો થઈ જાય છે, છતાં મનુષ્યના શરીરમાં તેવા કોઈ ફેરફાર થતાં નથી. તે જ પ્રમાણે ઘરમાં રહેલો દીપક ઘરની દીવાલો, બારણાં, તથા દીવાલોમાં પડેલી તિરાડો અને સરસામાનનો સાક્ષી છે, છતાં ન તો ઘરમાં પડેલા એંઠવાડ કે ગંદકીથી દીપકને સૂગ આવે છે કે ન તો તે ઘરથી નાસવાનો પ્રયત્ન કરે છે. તે જ પ્રમાણે ઘરમાં નવા રંગરોગાન કરવાથી ન તો દીપક ખુશી અનુભવે છે કે ન તો તેને પોતાના ઉત્સવ જેવું કિંઈ જણાય છે. કારણ કે દીપક તો ઘરમાં થતી તમામ પ્રવૃત્તિનો સાક્ષી છે અને તેથી સાસ્યના કે ઘરના ધર્મોનો દીપક ઉપર ન તો કોઈ પ્રભાવ પડે છે કે ન તેની અસર થાય છે. કારણ કે સાક્ષી હંમેશા સાસ્યથી જુદો, ન્યારો અને અસંગી હોય છે.
આ પ્રમાણે જેમ પડછાયાથી મનુષ્ય જુદો છે અને ઘરથી ઘરનો સાક્ષી દીપક ન્યારો છે તે જ પ્રમાણે શરીર, ઇન્દ્રિયો અને મનના ધર્મો તથા કર્મો આત્માને પણ સ્પર્શ કરી શકતા નથી કારણ કે શરીર ધ્રયસ્થ આત્મા