SearchBrowseAboutContactDonate
Page Preview
Page 782
Loading...
Download File
Download File
Page Text
________________ તે કરે કઈ રીતે? આમ જે નિષ્ક્રિય, અક્રિય અને અકર્મસ્વરૂપે રહેલું છે, જ બ્રહ્મતત્ત્વ હું પોતે છું. (છંદ-ઉપજાતિ) पुण्यानि पापानि निरिन्द्रियस्य निश्चेतसो निर्विकृतेर्निराकृतेः । कुतो ममाखण्डसुखानुभूतेः ब्रूते ह्यनन्वागतमित्यपि श्रुतिः ॥ ५०४ ॥ ૭૬૫ = निरिन्द्रियस्य ઇન્દ્રિયરહિત નિશ્વેતસઃ નિર્વિદ્યુતેઃ = ચિત્તરહિત, નિર્વિકાર, આકા૨૨હિત (અને) निराकृतेः अखण्डसुखानुभूतेः મમ ડુબ્યાનિ પાપાનિ= મને પુણ્ય અને પાપ ક્યાંથી હોઈ શકે? ભુતઃ = = = અખંડસુખની અનુભૂતિસ્વરૂપ ‘અનન્યાત” કૃતિ ફ્રિ = ‘આત્માને પુણ્ય કે પાપ સાથે સંબંધ નથી.’’ એમ જ श्रुतिः अपि ब्रूते = (બૃહદારણ્યક) ઉપનિષદ પણ કહે છે. પૂર્વે સમજાવ્યું તેમ હું પ્રવૃત્તિ અને નિવૃત્તિમાં કર્તૃત્વરહિત છું. તેથી હું સુસ્પષ્ટ છું કે મારે ન હોઈ શકે પુણ્ય કર્મ કે ન થઈ શકે મારાથી પાપ કર્મ. પુણ્ય અને પાપ જેવા કર્મો તો ચિત્ત અને અહંકાર દ્વા૨ા થતા હોય છે. મુજ આત્મસ્વરૂપમાં તો નથી ચિત્ત કે નથી ઇન્દ્રિયો, તો કોઈ પણ પ્રકારના કર્મોનો સંભવ જ હોઈ શકે નહીં. તદુપરાંત, હું વિકાર અને આકા૨૨હિત છું. તેથી પણ પ્રવૃત્તિ કે નિવૃત્તિનો મને સ્પર્શ જ હોઈ શકે નહીં. જેવી રીતે સુષુપ્તિ સમયે પુણ્ય અને પાપ જેવી કોઈ પ્રવૃત્તિ બચતી નથી, તે જ પ્રમાણે મુજ આત્મતત્ત્વની અખંડ સુખાનુભૂતિ કરનારા મારે નથી કર્મફળની અપેક્ષા, નથી કંઈ અપ્રાપ્ત. તદુપરાંત, અખંડ સુખની પ્રાપ્તિમાં સર્વ લૌકિક અને પા૨લૌકિક સુખ સમાયેલા જ છે તો કઈ ઇચ્છાથી, કયા હેતુ માટે મારે પુણ્ય
SR No.006073
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorTadrupanand Swami
PublisherManan Abhyas Mandal
Publication Year1995
Total Pages858
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy