________________
૭૪૫
बुद्धिः विनष्टा = (મારી) બુદ્ધિવૃત્તિ નષ્ટ થઈ ગઈ છે. પ્રવૃત્તિઃ અનિતા = (અને) પ્રવૃત્તિ અટકી ગઈ છે રૂટું ન નાને = હું પ્રત્યક્ષને પણ જાણતો નથી (અને) મનડું માપ ન ખાને = “અનિદમ્' અર્થાત્ પરોક્ષને પણ જાણતો નથી. अपारं सुखम् = અપારસુખ, (અતિન્દ્રિય સુખ) વિ વા ચિત્ = કેટલું (અગાધ તથા) કેવું છે?
(તે પણ જાણતો નથી) અહો! આશ્ચર્ય છે કે, હે ગુરુદેવ, બ્રહ્મ અને જીવાત્મા એક જ છે એવું જાણ્યા પછી મારી બુદ્ધિની વૃત્તિઓ નષ્ટ થઈ ગઈ છે અને તેથી પ્રવૃત્તિ અટકી ગઈ છે, શૂન્ય થઈ છે. હવે તો હું “આ છે શું?” તેવું જાણતો નથી અર્થાત્ જેને “આ”, “વેદ”, "THIS" તથા “ફ” થી જાણી શકાય તેવા સમગ્ર પ્રત્યક્ષ જગતને હું જોતો કે જાણતો નથી. અરે! જે કાંઈ અપ્રત્યક્ષ છે અર્થાત્ “નિવ” –“આ નથી”, તેવું પણ ખરેખર જાણતો નથી. આમ, પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષથી અજાણ હું અપાર, અતીંદ્રિય સુખ કેટલું અગાધ? તથા કેવું છે? તે પણ જાણતો નથી.
- અહો! આજે મારા અસીમ આનંદની સીમા ક્યાં? મારા એકત્વદર્શનમાં અન્ય નથી તો પ્રવૃત્તિ ક્યાં? સર્વ દિશાઓમાં હું, હું અને હું જ છું તો વિષયભોગની દોડ ક્યા? અરે! મને કંઈ અપ્રાપ્ત જ નથી તો પ્રવૃત્તિથી મળે શું? મારી બુદ્ધિ અને ચિત્તની વૃત્તિશૂન્યતામાં નથી વિક્ષેપ કે અજંપો તો પ્રવૃત્તિનું કારણ ક્યાં? આશ્ચર્ય છે, નથી મારે કંઈ પ્રત્યક્ષ કે પરોક્ષ, તો જાણવાનું હવે જીવન પર્યંત બાકી શું?
(છંદ-શાર્દૂલવિક્રીડિત) वाचा वक्तुमशक्यमेव मनसा मन्तुं न वा शक्यते स्वानन्दामृतपूरपूरितपरब्रह्माम्बुधेर्वैभवम् ।