________________
૭૪૬
अम्भोराशिविशीर्णवार्षिकशिलाभावं भजन्मे मनः
यस्यांशांशलवे विलिनमधुनाऽऽनन्दात्मना निवृतम् ॥४८३॥ સ્વાનન્દ્રામૃતપૂર-પૂરત- = પોતાના જ આનંદરૂપી અમૃતના
પૂરથી પૂરિત ब्रह्माम्बुधेः वैभवम् = પરબ્રહ્મરૂપી સાગરના વૈભવને વાવા વ અશવચં વ = વાણીથી ઉચ્ચારવો અશક્ય જ છે. મનની મિતું ન વા શવતે = અને મનથી વિચાર કરવો પણ
અશક્ય છે. શ્નોરાશિ-વિશી-વાર્ષિશતા (જેમ) ચોમાસામાં પડતા કરી ગળી
જઈ સાગરમાં તસ્કૂપ થઈ, यस्यांशांशलवे विलिनम् = તેના અંશના પણ અલ્પઅંશમાં ભળી
જઈ તેમાં લય થઈ જાય છે. તેવા ભાવ મનનું બધુના મનઃ = ભાવને ભજી મારું મન હવે માનન્દાત્મના નિવૃતમ્ = આનંદસ્વરૂપ થઈ શાન્તિને પ્રાપ્ત થયું છે. '
અહો! આશ્ચર્ય છે કે જેમ ચોમાસાની વર્ષોમાં વરસતા બરફના કરા સાગરમાં પડી તદ્રુપ થઈ અંશના પણ અલ્પ અંશમાં ભળી જઈ સાગરમાં લય પામે છે તેમ હવે તો મારું મન તેવા ભાવને ભજી, આનંદરૂપી સાગરમાં પડી, આનંદસ્વરૂપ થઈ ગયું છે. તથા પરમ નિવૃત્તિ પ્રાપ્ત કરી ચૂક્યું છે. હે ગુરુદેવ! હવે તો મારે માટે સ્વાત્માનંદરૂપી અમૃતના પૂરથી પરિપૂર્ણ પરબ્રહ્મરૂપી સાગરના વૈભવને વાણીથી વર્ણવવો શક્ય જ નથી. અરે! મનથી તો હવે તેનો વિચાર પણ અશક્ય છે.
અહો! અદ્ભુત આશ્ચર્ય! હું મને જ ન વર્ણવી શકું કે ન જણાવી શકું! હવે મારી અપરોક્ષ, અલૌકિક અદ્વૈતાનુભૂતિની અભિવ્યક્તિ ક્યાં? અરે! હવે તો મારી પરમ નિવૃત્તિરૂપી શાંતિમાં સમાધિ જેવી પ્રવૃત્તિ પણ
ક્યાં અને કેવી? હું આત્મસ્વરૂપે અધિષ્ઠાન છું અને અધિષ્ઠાનરૂપે સ્વયં સમાધિસ્થ છું, પછી મારે લગાડવાવાળી અને છૂટવાવાળી કે સંસ્થાન કે વ્યુત્થાન